________________
સર્વસ્વ અર્પણ કરનાર મોટો
શ્રી હીરાલાલ નરોત્તમદાસ જણાવે છે : વઢવાણ કેમ્પમાં મુમુક્ષુ મધ્યે પરમકૃપાળદેવ દ્વારા સ્થાપિત “શ્રી પરમશ્રત પ્રભાવક મંડળ'ના ખાતાની ટીપ ચાલતી હતી. તે વખતે મારા મનમાં વિચાર થયો કે શ્રીમુખે આજ્ઞા કરે તો આપણે ખાનગીમાં એકઠા કરેલા આશરે પચીસ ત્રીસ રૂપિયા છે તે તમામ રકમ ભરી કૃતાર્થ થઈએ. તેટલામાં પરમકૃપાળુદેવે આજ્ઞા કરી કે આ ટીપ હીરાભાઈને વાંચવા આપો. તેમાં મોટી રકમો ભરાયેલી જોઈ, આપણી જૂજ રકમ તે શા હિસાબમાં એમ જાણી સંકોચાઈ બેસી રહ્યો. ત્યારે પરમકૃપાળુદેવે સહજ જણાવ્યું કે હીરાભાઈ સંકોચાવાનું કાંઈ નથી. તમારી પેટીમાં ખાનગી પ૧ રૂા. છે. તમોએ તમામ રકમ અર્પણ કરવાનો વિચાર કર્યો છે જ્યારે બીજા ભાઈઓએ પોતાની રકમનો અમુક ભાગ જ અર્પણ કરેલ છે, માટે તે અપેક્ષાએ બીજા કરતાં તમારી રકમ વઘુ ગણી શકાય. સાહેબજીની આ વાત સાંભળી મેં રૂા. ૫૧ ટીમાં ભર્યા. અમદાવાદ આવી મારી ખાનગી પેટી ખોલી ગણતરી કરી જોયું તો રૂપિયા, પૈસા, પાઈ વગેરેનો કુલ સરવાળો રૂા. ૫૧ થઈ રહ્યો. તેમાં એક પાઈ સરખી પણ વઘી કે ઘટી નહીં. “મુખ્યપણે જેમાં આત્મા વર્ણવ્યો હોય તે “અધ્યાત્મશાસ્ત્ર.” જે ગુણો અક્ષરોમાં કહ્યા છે
તે ગુણો જો આત્મામાં પ્રવર્તે તો મોક્ષ થાય.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૪)
૨)
૧૩૩