________________
આંબાતળે શ્રીમદ્ભી રાહ જોતા સાત મુનિઓ
મુનિશ્રી દેવકરણજી મુનિશ્રી લક્ષ્મીચંદજી મુનિશ્રી ચલાલજી -
મુનિશ્રી. લઘુશજ સ્વામી
મુનિશ્રી મોહનલાલજી મુનિશ્રી. નરસિંદુ૨ખ મુનિશ્રી વૈલશીખ
ઈડરમાં નક્કી કરેલા આમ્રવૃક્ષ નીચે શ્રી લલ્લુજીસ્વામી આદિ સાતે મુનિઓને આવવા પરમકૃપાળુદેવે આજ્ઞા કરેલ, તે પ્રમાણે બઘા મુનિઓ ત્યાં આવી પહોંચી પરમકૃપાળુદેવની રાહ જોતા બેઠા હતા. પરમકૃપાળુદેવ પણ ત્યાં આવી રહ્યા છે. તે આંબા નીચે મુનિઓને પરમ સદ્ગુરુનો સમાગમ થતો હોવાથી જાણે ત્રિલોકના સારરૂપ કલ્પવૃક્ષ સમાન તે આંબો થઈ પડ્યો હતો. “અચિંત્ય જેનું માહાભ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો
આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૫૨) “સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; “સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે; સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના એક કોટ્યાવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતાં અઘોગતિમય મહા પાપો કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૫)
૧૨૬