________________
બાઈનો આઠમે ભવે મોક્ષ
દર્શન સમયે ઉપદેશ
તે બાઈ દર્શન કરવા માટે આવ્યા ત્યારે શ્રીમદે પ્રમાદ તજવા ઉપદેશ દીધો.
પ્રમાદથી જાગૃત થાઓ; કેમ પુરુષાર્થરહિત આમ મંદપણે વર્તો છો? આવો જોગ મળવો મહાવિકટ છે. મહાપુણ્ય કરીને આવો જોગ મળ્યો છે તો વ્યર્થ કાં ગુમાવો છો? જાગૃત થાઓ, જાગૃત થાઓ. અમારું ગમે તે પ્રકારે કહેવું થાય છે તે માત્ર જાગૃત થવા માટે જ કહેવું થાય છે.’
(જી.પૃ.૨૨૮)
ઠપકાની ‘‘વાત શ્રીમદ્ના જાણવામાં આવી ગઈ, એટલે મોતીલાલને કહ્યું : “શા માટે તમે ખીજ્યા ? તમે ઘણીપણું બજાવો છો ? નહીં નહીં, એમ નહીં થવું જોઈએ. ઊલટો તમારે તે બાઈનો ઉપકાર માનવો જોઈએ. એ બાઈ તો આઠમે ભવે મોક્ષપદ પામવાનાં છે. તે બાઈને અહીં આવવા દો.
મોતીલાલે તુરત જઈને બાઈને કહ્યું : “તમારે દર્શન કરવાની ઇચ્છા હોય તો આવો. તમને આવવાની આજ્ઞા આપી છે.’’
(જી.પૃ.૨૨૮)
પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે.’” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૬૪)
“સમય માત્ર પણ પ્રમાદ ક૨વાની તીર્થંક૨ દેવની આજ્ઞા નથી. -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૪૮)
“પ્રમત્તભાવે (પ્રમાદે) આ જીવનું ભૂંડું ક૨વામાં કાંઈ ન્યૂનતા રાખી નથી.’’ -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૫૫) “જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ ક૨વા યોગ્ય કાંઈ દેખાતું નથી.’” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૧૩)
૧૧૯