SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ભા દર્શન સમાગમની અભિલાષા ખંભાતથી શ્રી અંબાલાલભાઈ, શ્રી ગાંડાભાઈ તથા શ્રી સબૂરભાઈ પરમકૃપાળુદેવના દર્શનાર્થે અમદાવાદ સ્ટેશન ઉપર મળવા આવ્યા હતા. સાહેબજી કલોલ તરફથી ટ્રેનમાંથી પઘાર્યા. સ્ટેશન ઉપરથી સાહેબજી માટે ચા તથા ફૂટ લાવ્યા હતા. તે પર દ્રષ્ટિપાત કરી સાહેબજીએ જણાવ્યું કે અમારે આ વાપરવા મરજી નથી. શ્રી અંબાલાભાઈને વિકલ્પ થયો કે શું આ ચા હોટલની હતી માટે ન વાપરી હોય? તથા ફુટ તપાસી જોયું તો તેમાં પણ બગાડનો ભાગ જોવામાં આવ્યો તથા ચાખવા પરથી જણાયું કે ક્રુટમાં પણ ખટાશ વ્યાપી ગઈ હતી. પરમકૃપાળુદેવની સાથે અમે ત્રણેય ટ્રેનમાં બેઠા. રસ્તામાં સાહેબજીએ શ્રી અંબાલાલભાઈને પૂછ્યું– ચા તથા ફુટ વાપરવા માટે અમોએ ના જણાવી તે બાબત તમોએ શા વિચારો ઘડ્યા છે? ત્યારે શ્રી અંબાલાલભાઈએ કહ્યું કે આપનાથી કાંઈ અજાણ્યું નથી. પછી પરમકૃપાળુદેવે જણાવ્યું તમારું અનુમાન સાચું છે, એ જ કારણથી અમોએ ના જણાવી હતી. આણંદ સ્ટેશન આવ્યું ત્યારે શ્રી ગાંડાભાઈ અને શ્રી સબુરભાઈ નીચે ઊતર્યા તથા ભાઈ શ્રી અંબાલાલભાઈ ભરૂચ સુધી ટ્રેનમાં પરમકૃપાળુદેવની સાથે સમાગમ અર્થે ગયા હતા. ત્યાંથી આણંદ પાછા ફર્યા હતા. સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઇચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે.” -પ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૩૨) ૧૦૩
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy