________________
સેવાભાવી શ્રી અંબાલાલભાઈ
સંવત ૧૯૫૪માં બીજી વાર શ્રીમદ્ કાવિઠા પધાર્યા ત્યારે પણ તેમનો ઉતારો શ્રી ઝવેરચંદ શેઠના ડેલામાં મેડા ઉપર હતો. શ્રીમદ્ દરરોજ સવાર, બપોર તથા રાત્રે ઉપદેશ આપતા હતા. “દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ
એક ભવમાં ટાળવા છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૦૧)
અવસરે અવસરે એકાદ માઈલ દૂર ગામ બહાર જઈ ઝાડ નીચે કે તલાવડીના કાંઠે શ્રીમદ્ ધ્યાનમાં બેસતા હતા.
તેમની રસોઈ આ વખતે શ્રી અંબાલાલભાઈ બનાવતા હતા. શ્રી અંબાલાલભાઈ શ્રીમદ્ભી રસોઈ બનાવતા તે મકાન શ્રીમદ્ભા ઉતારાના ડેલાથી થોડું દૂર હતું. છતાં પણ શ્રીમદ્દ જે ઉપદેશ આપે તે રસોઈ કરતાં કરતાં તેમને સ્મૃતિમાં આવતો હતો અને બીજે દિવસે પણ તે ઉપદેશ તેઓ લખી લાવી શકતા હતા. એવી તેમને લબ્ધિ પ્રગટી હતી. શ્રીમદ્ શ્રી અંબાલાલભાઈ સમયસર ઉપયોગપૂર્વક જમાડી સેવાનો લાભ લેતા હતા.
સેવાથી સગુરુકૃપા, (સ૬)ગુરુકૃપાથી જ્ઞાન; જ્ઞાન હિમાલય સબ ગળે, શેષે સ્વરૂપ નિર્વાણ.
(ઉ.પૃ.૩૭)
૧૦૨