________________
ખા જ ન
વુિં.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું માહાભ્યા (પરમકૃપાળુદેવ, પ.પૂ.પ્રભુશ્રીજી અને પૂ.શ્રી બ્રહ્મચારીજીના શબ્દોમાં)
+ +1 મન ને
મન ને ઉના, ૫૯ તે પ - મું - સ્ત્રી
1
અનંત, અમ 1
:
“આત્મસિદ્ધિશાસ્ત્ર” વિશેષ વિચારવા યોગ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૬૦)
“આત્મસિદ્ધિ” ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાંક ઉપદેશપત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યાં છે. બન્નેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૦૪)
“આત્મસિદ્ધિ” ગ્રંથ તમારી પાસે રાખશો. ત્રંબક અને મણિને વિચારવાની ઇચ્છા હોય તો વિચારશો; પણ તે પહેલાં કેટલાંક વચનો અને સગ્રંથો વિચારવાનું બનશે તો આત્મસિદ્ધિ બળવાન ઉપકારનો હેતુ થશે, એમ લાગે છે. - શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૦૬)
“આત્મસિદ્ધિ” મળી કે બધું મળ્યું, કંઈ બાકી નથી. (ઉ.પૃ.૪૫૨) “આત્મસિદ્ધિ” કંઈ જેવી તેવી છે? એકેક ગાથા વિચારે તો કામ કાઢી નાખે. (ઉ.પૂ.૪૭૫)
“આત્મસિદ્ધિ” ચમત્કારિક છે, લબ્ધિઓથી ભરેલી છે. મંત્ર સમાન છે. માહાસ્ય સમજાયું નથી. છતાં દરરોજ ભણવામાં આવે તો કામ કાઢી નાખે તેમ છે. (ઉ.પૃ. ૩૬૮)
શ્રી આત્મસિદ્ધિ” માં આત્મા ગાયો છે. તેમાં કોઈ ઘર્મની નિંદા નથી. સર્વ ઘર્મ માનનારને વિચારવા યોગ્ય છે. આપણે પણ આત્મા ઓળખવો હોય તો તેનો વારંવાર વિચાર કરવા યોગ્ય છે. ચૌદ પૂર્વનો સાર તેમાં છે. (ઉ.પૃ.૧૦૨).
“આત્મસિદ્ધિ મોતીના હાર જેવી છે. ભાવથી ભણે તો કોટી કર્મ ખપી જાય. (બો-૧ પૃ.૨૩) રોજ “આત્મસિદ્ધિ” બોલવી. આત્મસિદ્ધિ રોજ વિચારાય તો આ દેહમાં આત્મા રહ્યો છે તે સમજાય. (બો.૧ પૃ. ૨૮૬) “આત્મસિદ્ધિ” અને “મોક્ષમાળા” એ બેમાં કૃપાળુદેવે જે કહેવાનું હતું તે બધું કહી દીધું છે. બો.૧ પૃ.૩૦),
“આ કાળના જીવોનું આયુષ્ય ઓછું એટલે બધાં શાસ્ત્રોનો સાર ટૂંકામાં કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં ઉતારી દીધો છે. (બો.૧ પૃ.૨૭૦)
“આત્મસિદ્ધિ માં બઘાં શાસ્ત્રોનો સાર છે. અપૂર્વ ગ્રંથ છે. આ કાળમાં પરમાત્મદશા પામીને કૃપાળુદેવે આ ગ્રંથ રચ્યો છે. એમાં છ દર્શનનો સમાવેશ છે. (બો.૧ પૃ.૧૨૬)
“આત્મસિદ્ધિ” ચમત્કારી વસ્તુ છે. બઘાથી ઉઠાવી આત્મા ઉપર લાવી મૂકે એવી આત્મસિદ્ધિ છે.” (બો.૨ પૃ.૩૧૧).
“આત્મસિદ્ધિ” માંથી મારે આત્મા પ્રગટ કરવાનો છે એવો લક્ષ રાખે તો ઘણું કામ થાય એવું છે. ખરા સુખનો માર્ગ બતાવ્યો છે. (બો.૨ પૃ.૩૦૮)
“મોક્ષમાળા” જેમ ઘર્મની જિજ્ઞાસા ઉત્પન્ન કરાવવાના હેતુથી લખાઈ છે તેમ “આત્મસિદ્ધિશાસ્ત્ર” આત્માનો નિર્ણય કરાવી આત્મજ્ઞાન પ્રગટાવવાના ઉત્તમ હેતુથી લખાઈ છે. (જી.પૃ.૧૯૪)
ચૌદ પૂર્વનું મધ્યનું- સાતમું પૂર્વ “કાત્મપ્રવા' નામે છે. તે સર્વ પૂર્વના સારરૂપ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર”ની રચના, આત્મસ્વરૂપનો અનુભવ કરીને શ્રીમદે સુગમ રીતે મધ્યસ્થપણે કરી છે. (જી.પૃ.૨૧૧)
“આત્મસિદ્ધિશાસ્ત્ર” માત્ર ગાવાનું જ નથી, પણ વિચારવાનું છે. આત્માર્થીના લક્ષણો કહ્યાં, પછી એમાં છ પદની વાત શરૂ થાય છે. પહેલાં શિષ્ય શંકા કરે છે કે “આત્મા નથી' પાછું સદ્ગુરુ તેનું “આત્મા છે' એમ સમાઘાન કરે છે. એવી રીતે આ છ પદ શંકાસમાઘાનરૂપે સમજાવ્યા છે. આ કાળમાં ઘણાં શાસ્ત્રો છે, પણ “આત
છે. આ કાળમાં ઘણાં શાસ્ત્રો છે, પણ “આત્મસિદ્ધિ” જેવું સરળ ભાષામાં કૃપાળુદેવે લખ્યું છે તેવું કોઈ શાસ્ત્ર નથી. (બો.૨ પૃ.૩૦૭)
૧૦૧