________________
વડવા તીર્થની આગાહી
ETE TH Tી II
it TET ||
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર સં. ૧૯૫રના ભાદરવા સુદ દસમના રોજ રાળજથી “વડવા” પધાર્યા હતા. (૧) તે સમયે પરમકૃપાળુદેવે આગાહી કરેલ કે આ સુવર્ણભૂમિ છે, અહીં ચંદ્રપ્રભસ્વામીની સ્થાપના થશે. તે જ જગ્યાએ
વર્તમાનમાં આ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ નામનું વડવા તીર્થ બનેલ છે. જે મકાનની મેડી ઉપર શ્રીમદ્ રહેલા તે જ મકાનના ઉપરના ઓરડામાંની બારીમાંથી શ્રી અંબાલાલભાઈ આદિ મુમુક્ષુઓને સામેની ટેકરી તરફ અંગુલી નિર્દેશ કરીને પરમકૃપાળુદેવે જણાવ્યું કે “આ સુવર્ણભૂમિ છે, અહીં ચંદ્રપ્રભસ્વામીની સ્થાપના
થશે. (૩) જે મકાનની મેડી ઉપર શ્રીમદ્ રહેલા તે જ પતરાવાળી ઉપરની આ ઓરડી છે. જેના બાજુમાં અડીને જ પાણીની વાવ
આવેલી છે. તે સમયમાં આ વડવા સાવ નિર્જન સ્થાન હતું. “ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભારવાથી તદ્રુપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી, ત્યાં વાવ પછી થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તો, પછી શાંત અને શીતળ
અવકાશની જગ્યા હતી. તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસો વાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બઘાને તેવી રીતે યાદ ન આવે.
કારણકે તે ક્ષયોપશમને આધીન છે. સ્થળ પર નિમિત્ત કારણ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૬૮)
૯૬