SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો માનીતિ ભોજન કરતો નથી. શ્રીકાંતે કહ્યું હું શુદ્ધ વ્યાપાર કરું છું. તેમણે કહ્યું તમારા ખર્ચ પ્રમાણે તો તમારો વ્યાપાર જોવામાં આવતો નથી. માટે સત્ય હોય તે કહો. ત્યારે શ્રીકાંતને લાગ્યું કે એ પારકી ગુપ્ત વાત પ્રગટ કરે એવા લાગતા નથી. ત્યારે એણે કહ્યું કે હું રાત્રે ચોરી કરું છું. એ સાંભળી જિનદાસે કહ્યું કે હું તમારે ત્યાં ભોજન કરી શકું નહીં. કારણ કે મારી બુદ્ધિ પણ તમારા આહારથી તમારા જેવી થઈ જાય. ત્યારે શ્રીકાંતે કહ્યું કે ચોરીના ત્યાગ વિના જે કહો તે ધર્મ હું કરી શકું, ત્યારે જિનદાસે કહ્યું : પ્રથમ અસત્ય બોલવું નહીં. એ વ્રત તમે ગ્રહણ કરો. તે સાંભળીને શ્રીકાંતે સત્યવ્રત સ્વીકાર્યું. જિનદાસે કહ્યું-શ્રેષ્ઠી જીવિતની જેમ આ વ્રત ચાવજીવન પાળજો. શ્રીકાંતે કહ્યું: ‘રાજ્ય જાઓ અને આ નાશવંત પ્રાણ પણ જાઓ, પરંતુ મારી વાચા ન જાઓ. આવું નીતિનું વચન છે તેથી મેં જે વ્રત લીધું છે તેનો કદી પણ હું ભંગ કરીશ નહીં.” ઃ હવે શ્રીકાંતશેઠે આ વ્રત ગ્રહણ કર્યું. છતાં તેનો ચોરીનો સ્વભાવ તો ગયો નહોતો. તેથી એક વખતે શ્રીકાંત શેઠ ચોરી કરવા ગયો. માર્ગમાં નગરચર્ચા જોવા નીકળેલા શ્રેણિકરાજા અને અભયકુમાર મળ્યા. તેમણે શ્રીકાંતને પૂછ્યું : ‘તું કોણ છે?” તેણે કહ્યું, ‘હું પોતે છું,’ ફરી પૂછ્યું : “તું ક્યાં જાય છે?’ શ્રીકાંતે કહ્યું : ‘રાજાના ભંડારમાં ચોરી કરવા.' પુનઃ પૂછ્યું : ‘તું ક્યાં વસે છે?’ શ્રીકાંતે કહ્યું : ‘અમુક પાડામાં.’ વળી પૂછ્યું : ‘તમારું નામ શું છે?’ શ્રીકાંતે કહ્યું : ‘મારું નામ શ્રીકાંત છે.’ તે સાંભળી બંને આશ્ચર્ય પામ્યા કે, ‘ચોર આવી રીતે સાચું કહે નહીં માટે આ ચોર જણાતો નથી.' વળી તેઓ આગળ ચાલ્યા. પાછા વળતાં પેલો શ્રીકાંત, રાજાના ભંડારમાંથી પેટી લઈને જતો હતો. તેને પાછા શ્રેણિક અને અભયકુમાર મળ્યા. તેણે પૂછ્યું : આ શું લીધું છે? શ્રીકાંતે કહ્યું : ‘રાજાના ભંડારમાંથી આ રત્નની પેટી લઈને ઘરે જાઉં છું.' આવું વાક્ય સાંભળી તેઓ રાજમહેલમાં ગયા. પ્રાતઃકાલે ભંડારીએ ભંડારમાં ચોરી થયેલી જાણી. તેથી બીજી પણ કેટલીક વસ્તુઓ ભંડારીએ આઘી પાછી કરીને પછી પોકાર કરી કોટવાલને તિરસ્કાર સાથે ભંડારમાં ચોરી થયાનું જણાવ્યું. તે વાતની રાજાને ખબર થઈ એટલે તેણે ભંડારીને બોલાવીને કહ્યું કે, ‘કોશમાંથી શું શું ગયું છે? ભંડારીએ કહ્યું : ‘રત્નની દશ પેટીઓ.’ પછી રાજાએ મંત્રી સામે જોઈ પેલા શ્રીકાંતને બોલાવ્યો અને પૂછ્યું : ‘રાત્રે તેં શું ચોર્યું છે?’ તે પૂછતાં જ શ્રીકાંતે જાણ્યું કે રાત્રે જે બે જણ મળ્યા હતા તે જ આ છે. તેથી તેણે કહ્યું : 'સ્વામિન્ ! તમે શું ભૂલી ગયા, તમારા દેખતાં જ હું મારી આજીવિકા માટે એક પેટી લઈને જતો હતો.’ શ્રેણિક રાજાએ કહ્યું ‘અરે ચોર ! તું મારી પાસે પણ સાચું બોલતાં કેમ ભય પામતો નથી? શ્રીકાંત બોલ્યો કે ‘મહારાજ! પ્રાજ્ઞ પુરુષોએ પ્રમાદથી પણ અસત્ય ન બોલવું જોઈએ, કેમકે અસત્ય બોલવાથી પ્રચંડ પવન વડે વૃક્ષની જેમ ક્લ્યાણ (સુક્ત) નો ભંગ થાય છે. વળી તમે ક્રોથ પામો તો આલોકમાં એક ભવના સુખનો નાશ કરો, પણ જો સત્ય વ્રતનો ભંગ કરું તો અનંત ભવમાં મને દુઃખ થાય.' આ પ્રમાણેના તેના વચનો સાંભળી રાજા શ્રેણિકે તેને શિક્ષા આપી કે, જેવું આ બીજું સત્યવ્રત પાળે છે, તેવી રીતે બીજાં વ્રત પણ પાળ.' શ્રીકાંતે તે સ્વીકાર્યું; એટલે રાજાએ તે જીના ભંડા૨ીને ૨જા આપીને તે પદવી ઉપર શ્રીકાંતને રાખ્યો. અનુક્રમે તે ભગવાન મહાવીર સ્વામીના શાસનનો સાચો શ્રાવક થઈ ઉત્તમ ગતિને પામ્યો. આ પ્રમાણે શ્રીકાંત ચોરે જિનદાસ શ્રાવકના વાક્યથી દૃઢતા વડે સત્યવચનરૂપ બીજ વ્રત લીધું તેવું પાળ્યું તો આલોકમાં પણ તેણે ઇષ્ટફળ પ્રાપ્ત કર્યું. તેથી ભવ્ય પ્રાણીઓએ જરૂર સત્યવ્રત ગ્રહણ કરવું. (પૃ.૪૯) ૨૬૬
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy