SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મનનીતિ પોતાના દાગીના કે ઘરના વાસણ મૂકવા આવે તેની પાસેથી વધારે વ્યાજ લઉં તો તે બિચારા ઊંચા જ ન આવી શકે; માટે વધારે વ્યાજ લઉં નહીં. લોકો ગરીબો પાસેથી પાંચ ટકા કે દશ ટકા સુધી વ્યાજ લે છે. આવી રીતે વધારે વ્યાજ લેવાથી તેની આંતરડી કકળે છે. તેની હાયથી વધારે વ્યાજ લેનાર આ ભવમાં કે પરભવમાં સુખ પામતો નથી પણ દુઃખનું કારણ ઊભું કરે છે. ૩૩૪. હિસાબમાં ભુલાવું નહીં. - ‘સોલ પંચ્યા પંચ્યાસી' બે મૂક્યા છૂટના, લાવો ત્યાંશી રૂપિયા.' એવી રીતે હિસાબમાં ભુલાવું નહીં. ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫'માંથી :– ભરવાડણને છેતરી પણ ઘેબર જમાઈ જમ્યા આભિરીવંચક વણિકનું દૃષ્ટાંત – ''કોઈ ગામમાં એક વણિક હતો, તે દુકાને બેસીને હંમેશાં વેપાર કરતો. એકદા તેની દુકાને કોઈ અતિ સરળ સ્વભાવની આભીરી (ભરવાડણ) બે રૂપિયા લઈને કપાસ લેવા આવી. તેણે વણિકના હાથમાં બે રૂપિયા આપી તેનો પાસ આપવા કહ્યું. એટલે તે વિશેકે “હાલમાં કપાસ બહુ મોંઘો છે’” એમ કહીને અર્ધા અર્થો રૂપિયાની બે ઘારણો તોળીને એક રૂપિયાનો કપાસ તેને આપ્યો. તે અતિ સરળ સ્વભાવવાળી આભીરી “બે વખત જોખી આપવાથી બે રૂપિયાનો મને કપાસ આપ્યો.’' એમ જાણી તે કપાસ લઈને જલદી પોતાને ઘેર ગઈ. પછી તે વણિકે વિચાર્યું કે “આજે એક રૂપિયો ફોગટનો મળ્યો છે, માટે આજે તો હું તેનું ઉત્તમ ભોજન જમ્''. એમ વિચારીને તે રૂપિયાનું ઘી, ખાંડ, ઘઉં વિગેરે ખરીદીને ઘેર મોકલ્યું અને પોતાની સ્ત્રીને તેના ઘેબર કરવાનું કહેવરાવ્યું. તે સ્ત્રીએ ઘેબર તૈયાર કર્યાં; તેવામાં બીજા કોઈ ગામમાં રહેતો તેનો જમાઈ પોતાના મિત્ર સહિત કાંઈ કામ સારું ત્યાં આવ્યો. તેને જોઈને હર્ષિત થયેલી પેલા વણિકની સ્ત્રીએ તે બન્નેને ઘેબર જમાડ્યા. સ્ત્રીઓને જમાઈ ઉપર અતિ સ્નેહ હોય છે.’ તેઓ જમીને ગયા પછી તે વણિક ભોજનને માટે ઘેર આવ્યો, ત્યારે હંમેશની જેવું સ્વાભાવિક ભોજન જોઈને તેણે પોતાની સ્ત્રીને પૂછ્યું કે “હે પ્રિયા! તેં આજે ઘેબર કેમ કર્યા નહીં? સ્ત્રીએ જવાબ આપ્યો કે “હે સ્વામી ! ઘેબર તો કર્યા હતા, પણ તે સત્પાત્રને જમાડ્યા છે. આજે કાંઈ કામ માટે આપણા જમાઈ તેના મિત્ર સહિત અહીં આવ્યા હતા, તેને જવાની ઉતાવળ હતી, તેથી તેને તે ઘેબર જમાડ્યા છે.” તે સાંભળીને વણિક ખેદયુક્ત થઈ વિચાર કરવા લાગ્યો કે “મેં બીજાને માટે થઈને બિચારી આભીરીને નકામી છેતરી. તેને છેતરવાનું પાપ મને લાગ્યું, અને ઘેબર તો બીજાએ ખાધા. મૂર્ખ માણસો સ્ત્રી પુત્રાદિકને માટે અત્યંત પાપ કર્મ કરે છે, પણ તે પાપનું ફળ તો તેને પોતાને જ ભોગવવું પડે છે.'' એમ વિચારી તે ગામ બહાર જઈને દેહચિંતા કરી પાછો વળતાં સૂર્યના તાપ વડે ગ્લાનિ પામવાથી એક વૃક્ષ નીચે વિશ્રાન્તિ લેવા બેઠો; તેવામાં કોઈ મુનિને ગોચરી જતા જોઈને તેણે કહ્યું કે “» પૂજ્ય ! અહીં આવો. જરા વિશ્રાંતિ ક્યો અને મારી એક વાત સાંભળો.' તે સાંભળીને જ્ઞાની મુનિએ કહ્યું કે “હું મારા પોતાના કાર્ય માટે ઉતાવળે જાઉં છું તેથી રોકાઈશ નહીં.'' વબ્રિક બોલ્યો કે ‘‘હૈ મહારાજ! શું બીજાને કામે પણ કોઈ જતા હશે કે જેથી આપ એવું બોલ્યા કે – હું મારા પોતાના કાર્ય માટે જાઉં છું?’' મુનિ બોલ્યા કે “બીજાના કાર્ય માટે ઘણા જીવો ક્લેશ પામે છે; તેમાં પ્રથમ તો સ્ત્રીપુત્રાદિકને માટે ક્લેશ પામતો એવો તું જ દૃષ્ટાંતરૂપ છે.'' આ એકજ વાક્યથી પ્રતિબોધ પામીને તે વણિકે મુનિને કહ્યું કે “આપ તપનું પારણું ૨૩૭
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy