________________
સાતસો મહાનીતિ
બ્રહ્મચર્યથી જિતેન્દ્રિયતા પ્રગટે છે, કુળ જાતિ આદિ દીપે છે; અને પરલોકમાં તે અનેક ઋદ્ધિનો ઘારક દેવ થાય છે. (પૃ.૩૧૯)
કામ-વિકાર ચિત્તરૂપી ભૂમિમાં ઉત્પન્ન થાય છે, તેની પીડા સહન નહીં થવાથી જીવ નહીં કરવા યોગ્ય એવાં પાપ કરે છે. કામ મનનું મથન કરે છે, મનમાંના જ્ઞાનનો નાશ કરે છે તેથી કામનું નામ “મનમથ’ પડ્યું છે. જ્ઞાનનો નાશ થવાથી અથવા વિવેકચક્ષુનો નાશ થવાથી જ સ્ત્રીના મહા દુર્ગથી નિંદ્ય શરીરમાં રાગી બની, તેનું સેવન કરે છે. કામથી અંઘ બની મહા અનીતિ કરે છે પોતાની કે પરની સ્ત્રીનો વિચાર પણ કરતો નથી. આ દુરાચારથી આ લોકમાં પણ હું માર્યો જઈશ, રાજા ભારે શિક્ષા કરશે, મારી આબરૂના કાંકરા થશે, મારી ઘર્મકરણીમાં ધૂળ પડશે, હું ઘર્મભ્રષ્ટ થઈશ, બુદ્ધિભ્રષ્ટ થઈશ અને ભૂંડા મોતે મરીને નરકે જઈશ, ત્યાં અસંખ્યાત કાળ પર્યત ઘોર દુઃખ ભોગવવાં પડશે, વળી તિર્યંચ (પશુ આદિ) ના અનેક ભવમાં અસંખ્ય દુઃખ ભોગવવાં પડશે, કદાચ મનુષ્ય થઈશ તો આંધળો, લૂલો, કૂબડો, ગરીબ, અપંગ, બહેરો, બોબડો થઈશ; ચંડાળ, ભીલ, ચમાર આદિ નીચ કુળોમાં જન્મવું પડશે; ત્યાંથી વળી ઝાડ, પહાડ આદિ સ્થાવર જંગમ જંતુ થઈ અનંત કાળ સુધી જન્મ, મરણનાં દુઃખ ભોગવવાં પડશે. આવો સત્ય વિચાર કામીને ઊપજતો નથી.
કામ-વિકારનાં અનેક સ્વભાવસૂચક નામ જગતમાં પ્રસિદ્ધ છે. કં એટલે ખોટો, દર્પ એટલે ગર્વ, તે ઉપરથી “કંદર્પ નામ પડ્યું છે. દુષ્ટ ગર્વ ઉપજાવે તે કંદર્પ. અતિ કામના એટલે વાંછા ઉત્પન્ન કરી દુઃખી કરે છે તેથી તેને “કામ” કહ્યો છે. તિર્યંચ તથા મનુષ્ય ભવમાં જેને માટે જીવો લડી મરે છે એવા કામને માર' પણ કહે છે. સંવરનો વેરી છે માટે “સંવરારિ' કહેવાય છે. તપ-સંયમરૂપ બ્રહ્મ ઘર્મનો નાશ કરે છે તેથી ‘બ્રહ્મસૂ’ કહેવાય છે, ઇત્યાદિ અનેક દુષ્ટ નામથી તે ઓળખાય છે.
આ પ્રકારે વિચારી મન, વચન ને કાયાથી પ્રીતિપૂર્વક બ્રહ્મચર્ય વ્રત પાળો. બ્રહ્મચર્યથી સંસારસમુદ્ર તરી જશો. બ્રહ્મચર્ય વિના વ્રત, તપ અસાર છે. વૃથા કાયક્લેશ છે. બાહ્ય સ્પર્શેન્દ્રિયના સુખથી વિરક્ત થઈને અત્યંતર પરમાત્મસ્વરૂપ જે આત્મા તેની ઉજવળતા પર દ્રષ્ટિ રાખો. આત્મવૃત્તિ કામમાં આસક્ત ન થાય તેવો પુરુષાર્થ કરો. બ્રહ્મચર્યથી આ ભવ પરભવ બન્ને લોક સુધરે છે.
જો શીલ સાચવવું હોય, ઉજ્વળ યશ ઇચ્છતા હો, ઘર્મનો ખપ હોય, અને પોતાની આબરૂ રાખવા ઇચ્છતા હો તો શાસ્ત્રની નીચે જણાવેલી શિખામણ મનમાં ઘારણ કરો :
સ્ત્રીઓની કથા કહો નહીં, સાંભળો પણ નહીં; સ્ત્રીઓના રાગ, રંગ, કુતુહલ, ચેષ્ટા નીરખો નહીં, એ મલિનભાવ દેખવાથી આપણા ભાવ બગડે છે; વ્યભિચારી પુરુષોની સોબત ન રાખો; ભાંગ, જરદો વગેરે માદક, કેફી વસ્તુઓનો ત્યાગ કરો; પાન-બીડી, ફુલના હાર, અત્તર, ફુલેલ આદિ શીલવ્રતનો ભંગ કરાવનાર કારણો સેવવાનો ત્યાગ કરો; ગીત, નૃત્ય, નાટક આદિ કામવિકાર જાગ્રત કરનારાં કારણો તજો; રાત્રિભોજનનો ત્યાગ કરો; વિકાર પેદા કરે તેવાં લોવિરુદ્ધ વસ્ત્ર, આભરણ ન પહેરો; એકાંતમાં કોઈ પણ સ્ત્રીનો સંસર્ગ-પરિચય ન રાખો; સ્વાદની લંપટતા ત્યાગો. “ઇંદ્રિય-દમનકું સ્વાદ તજ,” જીભની લંપટતા સાથે હજારો દોષો આવે છે, તેથી મોટાઈ, યશ, ઘર્મ બઘાનો નાશ થાય છે. જીભના લંપટીનો સંતોષ નાશ પામે છે, તેને સમભાવનું સ્વપ્ન પણ આવતું નથી; લોક વ્યવહારથી ભ્રષ્ટ થઈ જાય છે, બ્રહ્મચર્યનો ભંગ થઈ જાય છે. માટે આત્મકલ્યાણ ઇચ્છતા હો તો એક બ્રહ્મચર્યની ખાસ રક્ષા કરો. (પૃ.૩૧૦)
૧૫૯