________________
૮૨
પ્રકરણ-૪ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાનો ઉપાય
કેટલાક તો ગમે તે શાસ્ત્ર ગમે ત્યાંથી વાંચવા માંડે છે, કોઈ ધામિર્ક સામયિકો વાંચે છે, પ્રવચનો સાંભળે છે. આ રીતે તેનો અભ્યાસ અધકચરો અને છુટોછવાયો હોય છે. દશ જગ્યાએ દશ-દશ ફૂટ ખોદવાસી પાણી ન નીકળે પણ એક જ જગ્યાએ સો ફુટ ઊંડા જાવ તો પાણી મળે. આ બાબત તત્ત્વજ્ઞાનના અભ્યાસને પણ લાગુ પડે છે. પારિભાષિક પરિચય ન હોય અને દ્રવ્ય સામાન્યા અભ્યાસ કરે અને દ્રવ્ય સામાન્યની પાકી સમજણ
શુદ્ધાત્માના શાન, શ્રદ્ધાન, આચરણરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો અભ્યાસ પોતાના શુદ્ધાત્મા એટલે કે પરમાત્મસ્વભાવ સાથે સબંધિત છે. તેથી તે પોતાના શુદ્ધાત્મા કે
પરમાત્મસ્વભાવના સ્વીકારમાં જ સહાયક છે તેની વિના દ્રવ્ય વિશેષ અને મોક્ષમાર્ગનો અભ્યાસ
કરવાથી કાંઈ ન વળે.
હૃદયગત
તે હું પરમાત્મા છું' એ સિદ્ધાંતને કરવામાં કાર્યકારી છે.
ચલિકા
સામાન્ય અને પ્રાથમિક તત્ત્વજ્ઞાનના અભ્યાસ વિના તત્ત્વજ્ઞાનનો કોઈ પણ સિદ્ધાંત સમજી શકાતો નથી. તેથી હું પરમાત્મા છું' અને તેના જેવા બીજા કોઈ સિદ્ધાંતને સમજીને હૃદયગત કરતાં પહેલા તત્ત્વજ્ઞાનનો કેટલોક અભ્યાસ આવશ્યક હોય છે અને આ અભ્યાસ તેના નિયત ક્રમાનુસાર હોવો જોઈએ.
પરમાત્મસ્વભાવ સાથે સબંધિત છે. તેથી તેના અભ્યાસથી પણ પોતાના પરમાત્મસ્વભાવની સમજણ અને મહિમા આવી ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજવાનું સરળ બને છે, આ રીતે મોક્ષમાર્ગનો અભ્યાસ એટલે કે આ
પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ તત્ત્વજ્ઞાનનો
અભ્યાસ કરવા માટે રોજના છ થી આઠ કલાક
ફાળવવા માટે ભલામણ કરેલી છે, બારેય પ્રકારના તપમાં સ્વાધ્યાય સમાન બીજું કોઈ તપ નથી તેમ પણ શાસ્ત્રમાં આવે છે. તેથી મોટા ભાગનાં મુમુક્ષુઓ રોજના બે-ચાર કલાક તો આવો અભ્યાસસ કરતા જ હોય છે. પરંતુ તેમ છતાં તત્ત્વજ્ઞાનની સાચી સમજણ ન આવતી હોય તો તેનું કારણ આ અભ્યાસ વ્યવસ્થિત અને પદ્ધતિસરનો નથી.
તત્ત્વજ્ઞાનનો સારી રીતે અભ્યાસ કરવા માટે તેના નિયત ક્રમને અનુસરવું જોઈએ. સૌ પ્રથમ પારિભાષિક પરિચય પ્રાપ્ત થયા પછી સત્શાસ્ત્રોનો સામાન્ય અભ્યાસ કરવો જોઈએ. ત્યારપછી સત્ત્શાસ્ત્રોના વિશેષ અભ્યાસની શરૂઆત દ્રવ્ય સામાન્યથી કરવી જોઈએ. દ્રવ્ય સામાન્યના અભ્યાસ વિના દ્રવ્ય વિશેષ અને મોક્ષમાર્ગના અભ્યાસમાં આગળ વધવું યોગ્ય નથી. તત્ત્વજ્ઞાનના કોઈ પણ સિદ્ધાંતનો સાર પણ દ્રવ્ય સામાન્યના અભ્યાસ વિના સમજી શકાતો નથી. તેથી દ્રવ્ય સામાન્યના અભ્યાસ પછી છ દ્રવ્યો,
નવ તત્ત્વો, નિશ્ચય-વ્યવહાર, ઉપાદાન-નિમિત્ત, કર્તા-કર્મ વગેરે દ્રવ્ય વિશેષનો અભ્યાસ કરવો જોઈએ. દ્રવ્ય વિશેષના અભ્યાસના આધારે જે તે સિદ્ધાંતની સ્પષ્ટ સમજૂતી મળે છે. ત્યાર પછી તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતનું ફળ મોક્ષમાર્ગ અને મોક્ષ હોય છે તેનો અભ્યાસ પણ કરવો જોઈએ.
સમયના
प्रवधनसार
82