SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા વિહારનું પ્રયોજન પોતાના સંયમ અને સાધનાની સિદ્ધિ માટે હોય છે. આ વિહાર રાત્રિના સમયે, ચોમાસામાં, જીવ-જંતુ હોય તેવા રસ્તા ઉપર કે ચારેબાજુ નજર ફેરવતા ન હોવો જોઈએ. પોતાના પ્રયોજન અનુસાર અમુક દિશા કે સ્થળની હદમાં તેના નિયમ અનુસાર જરૂરી વિહાર કરનાર તે વિહારનો નિયમી છે. નિહારનું પ્રયોજન શરીરનો કચરો બહાર કાઢવાનું છે. આ નિહાર એકાંત સ્થાનમાં અને જીવ-જંતુ રહિત સ્થળે હોવું જોઈએ. પોતાના નિહારમાં નિયમીતતા રાખનારને નિહારનો નિયમી માનવામાં આવે છે.. તત્વજ્ઞાનના સિદ્ધાંતો સમજીને હૃદયગત કરવા માટે આહાર-વિહારનહારનો નિયમી હોય તો તો ઉપયોગી બને છે. તેના કારણે પ્રમાદથી બચી શકાય છે. સમયની બચત થાય છે, રોગોથી દૂર રહેવાય છે, શરીરની સ્થિરતા અને સુદૃઢતા જાળવી શકાય છે, ચિત્તની સ્થિરતા અને એકાગ્રતા બની રહે છે. 'હું પરમાત્મા છું' અને તેના જેવા બીજા સિદ્ધાંતને હૃદયગત કરવા માટે આહાર-વિહારનિહારનો નિયમી હોય તે ઈચ્છનીય બાબત છે. C ૨.૧૦. પોતાની મૂલા દબાવનાર પોતાનામાં કોઈ વિશેષતા કે મનતા ટોચ તો તેના પ્રચાર-પ્રસારથી બચનારને ' પોતાની ગુસ્તા બાવનાર કહે છે, પોતાનામાં કોઈ પારમાર્થિક સિદ્ધિ કે આત્મિક ગુણની પ્રગટતાના કારણે બીજા કરતા પોતાની કોઈ વિશેષતા કે મહાનતા હોય તો તેની પ્રસિદ્ધિ કરવામાં કે કરાવવામાં ન માનનાર જીવને પોતાની ગુરુસ્તી દબાવનાર માનવામાં આવે છે. ૬૧ આત્માના કોઈ ગુર્ણા કે તેની સિદ્ધિ બહારમાં પોતાની પ્રસિદ્ધિના કારણે હોતા નથી. બહારની પ્રસિદ્ધિ અંદરમાં આત્માની સિદ્ધિને અટકાવનારી હોય છે. તેથી બહાર પડવાના પ્રસંગોથી દૂર રહેવામાં જ લાભ હોય છે. પ્રસિદ્ધિના કારણે પ્રતિબંધ પણ રહે છે. વળી અજ્ઞાની જીવને તે માનકષાયનું પણ કારણ બની શકે છે. તેથીી આત્મતિના સાધનમાં આગળ વધવા માંગતા જીવો માટે પોતાની ગુરુતા દબાવવી જરૂરી હોય છે.. ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવા માટે પોતાની ગુરુતા દબાવનાર બાજી જીતી જાય છે. આ સિદ્ધાંતને હૃદયગત થવાનાં કુળમાં પોતે જ પરમાત્માદશા પ્રગટ કરી પરમગુરુ બની જાય છે. આ રીતે અલ્પગુરુતા દબાવવાથી જ પરમગુરુતા ઈચ્છનીય છે. પ્રગટ થતી હોવાથી પોતાની ગુરુતા દબાવવી ઉપસંહાર ‘હું પરમાત્મા છું' જેવા તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતન હૃદયગત થવા માટે અમુક પ્રકારની લાયકાત, પાત્રતા કે યોગ્યતા આવશ્યક હોય છે. આ યોગ્યતા અનિવાર્ય અને ઈચ્છનીય એમ બે પ્રકારે હોય છે. જે યોગ્યતા વિના ચાલી જ ન શકે તેવી નિયમપ યોગ્યતાને અનિવાર્ય કહેવામાં આવે છે. તેમાં સૌ પ્રથમ અને મુખ્ય બાબત સંસારનો ખરેખરો ત્રાસ છે. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો સંસારનો અભાવ કરવા માટે હોય છે જેથી જેને સંસારનો ખરેખરો ત્રાસ હોય તે જ તેના માટે લાયક ગણાય તે દેખીતી બાબત છે, આ ઉપરાંત પરની તુચ્છતા, સ્વભાવનો મહિમા અને સ્વભાવ 61
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy