SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ४० પ્રકરણ-૨ : ‘હું પરમાત્મા છું' કઈ રીતે ? | પોતાનો આત્મા પરમાત્મા છે અને તે જ આત્મા તે જ સમયે પર્યાયષ્ટિએ પામર પણ છે. અહીં દ્રવ્યદૃષ્ટિ સમ્યક્ અને પર્યાયષ્ટિ મિસ્યા હોય છે, પોતાના પરમાત્મસ્વામાય પોતાના પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય ન હોવા છતાં તે પરોક્ષજ્ઞાનનો વિષય તો છે જ. પ્રત્યક્ષજ્ઞાનની જેમ પરોક્ષજ્ઞાન પણ પ્રમાણ હોય છે. આવા પ્રમાણશાન અનુસાર પોતાના ‘હું પરમાત્મા છું' એ દ્રવ્યદૃષ્ટિ છે એટલે કે દ્રવ્યરષ્ટિથી પોતે પરમાત્મા છે. સમ્યક એવી વ્યષ્ટિ પ્રગટ પ્રગટ કરવા માટે પ્રમાણજ્ઞાનની આવશ્યકતા હોય છે. દ્રવ્ય-પર્યાયરૂપ સમગ્ર ત્રિકાળ ધ્રુવ પરમાત્મસ્વભાવને જાણી, પલટતી વસ્તુનાં સત્ય જ્ઞાન એટલે કે પ્રમાણજ્ઞાન વિના પર્યાયદાનો ક્ષણિક પામરદાપર્ણ વિવક કરી, સાચી દષ્ટિ એટલે કે દ્રવ્યદૃષ્ટિ પ્રગટતી નથી. તે જ રીતે પ્રમાણજ્ઞાન વિના દ્રવ્ય-પર્યાયનો સાચો વિવેક પણ થતો નથી. વિવેક વિના પર્યાયની તુચ્છતા અને દ્રવ્યની મહાનતા ભાસતી નથી. તેમ જ દ્રવ્યનું ઉપાદેયપણું અને પર્યાયનું હેયપણું સમજાતું નથી અને તેથી પણ દ્રવ્યદૃષ્ટિ પ્રગટતી પ્રમાણજ્ઞાનની આવશ્યકતા છે. પ્રશ્ન : પ્રમાણજ્ઞાન માટે શું કરવું ? ઉત્તર : દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુસ્વરુપનાં સાચા જ્ઞાનને પ્રમાણજ્ઞાન કહે છે, પ્રમાણશાન માટે અનેકાંતસ્વરુપી આત્માનાં પરસ્પર વિરોધી અને સાપેક્ષ એવા કાયમ ટકતા દ્રવ્યસ્વભાવ અને ઉત્તર : આત્મવસ્તુનાં સર્વાંગીણ, સંપૂર્ણ નથી. આ રીતે દ્રવ્યષ્ટિ પ્રગટ કરવા માટે અને સત્ય જ્ઞાનને પ્રમાણજ્ઞાન કહે છે, અનેકાંતસ્વરુપી આત્મા કાયમ ટકતાં ધ્રુવ દ્રવ્યસ્વભાવ અને નિરંતર પરિણમતાં ક્ષણિક પર્યાયસ્વભાવ એવા પરસ્પર વિરોધી બે ધર્મો કે અંશોથી રચાયેલો છે. આ બન્ને અંશોનું સર્વાંગીણ, સંપૂર્ણ અને સત્ય જ્ઞાન તે પ્રમાણજ્ઞાન છે. પ્રમાણજ્ઞાન નિર્માત અને નિઃશંક હોય છે. અનેકાંતસ્વરુપી આત્માના દ્રવ્ય પર્યાયરૂપ બે અંશો સાપેક્ષ હોય છે, એટલે કે એક અપેક્ષા કે દૃષ્ટિએ આત્મા દ્રવ્યરૂપ છે અને બીજી અપેક્ષા કે દૃષ્ટિએ તે જ આત્મા તે જ સમયે પર્યાયરૂપ છે, તેથી આત્માની દૃષ્ટિ આ દ્રવ્ય કે પર્યાય એ બે પૈકી કોઈ એક રીતે જ સંભવે છે. વળી આત્મા પણ એક જ વસ્તુ છે તેથી તેની દૃષ્ટિ પણ દ્રવ્ય કે પર્યાય એ બે પૈકી કોઈ એક જ રીતે હોઈ શકે છે. દ્રવ્યષ્ટિએ નિરંતર પરિણમતા પર્યાયસ્વભાવ એ બન્ને નથી. તે જ રીતે પરમાત્મસ્વભાવને ઓળખ્યા વિના પામરદશાનો પણ પામરપણે વિવેક થતો નથી. સાચા વિવેક અને સૃષ્ટિ માટે પામરદશા ઉપરાંત પરમાત્મસ્વભાવને પણ જાણવો જરૂરી હોય છે. પ્રયોજનભૂત દ્રવ્યષ્ટિના વિષયપણે 'હું પરમાત્મા છું’ એવી જ્ઞાનની દૃષ્ટિ થઈ શકે છે. પ્રશ્ન : પ્રમાણજ્ઞાન અને તેની આવશ્યકતા સમજાવો ? પડખાંને જાણવાં જરૂરી છે. દ્રવ્યભાવપણે પોતે પરમાત્મા છે અને પર્યાયસ્વાભાવપણે પામર છે, પલટની પર્યાયરૂપ પામરદશા પ્રત્યક્ષ અને પ્રગટ છે. તેનો પરિચય અને અનુભવ છે. તેથી પલટતી પર્યાયરૂપ પામરદશાનું પડખું જાણીતું છે. કાયમ ટકતાં દ્રવ્યરૂપ પરમાત્મસ્વભાવ અપ્રત્યક્ષ અને અપ્રગટ છે. તેનો પરિચય અને અનુભવ નથી. તેથી કાયમ ટકતાં દ્રવ્યરૂપ પરમાત્મસ્વભાવનું
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy