SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોનું હૃદયગતપણું માર્ગપ્રાપ્તિ જ હોવાથી આ કારણો તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત ન થવા માટેના પણ કહી શકાય છે, જે આ પ્રમાણે છે મે આ જીવ સંસારમાં રખડે છે, કર્મબંધન પાર્મ છે, અનેક પ્રકારના દુઃખોને નિરંતર ભોગવે છે તો તેનું કારણ પોતાની જ ભૂલ એટલે કે મિસ્યા માન્યતા હોય છે. મનુષ્યની માનસિક્તા જ એવી છે કે તે બીજું બધું છોડી શકે છે પણ પોતાની મિથ્યા માન્યતા છોડી શક્તો નથી. અને તેનું કારણ તેનો સ્વચ્છંદ છે. મિથ્યા માન્યતારૂપ સ્વચ્છંદ છોડ્યા વિના તત્વજ્ઞાનનો કોઈ પણ સિદ્ધાંત હૃદયગત ન થઈ શકે તે દેખીતું છે. ૧.૧. સાણંદ ૧૨. આલોની આપ પણ સુખેથા ૧.૩. દેવ-ગુરુ પ્રત્યેની પરમ દૈન્યતાની ઓછાઈ ઉપરોક્ત દરેક બાબતની સમજૂતી આ નીચે આપવામાં આવે છે; જેમાં ક્રમશઃ ૧. વ્યાખ્યા ર. વ્યાખ્યાની સમજૂતી. ૩ આ બાબત તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને હૃદયગત થવામાં કઈ રીતે બાધારૂપ છે? ૪. 'હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત ન થવામાં તેની ભૂમિકા ૫. આ ર્દોષને દૂર કરવાનો ઉપાય અને ૬. કોઈ કાવ્યના આધાર સહિતના સારભાગથી સમાપનાનો સમાવેશ છે. ૧૩૭ 1.1. 2019 nig પોતાની મિથ્યા માન્યતાને જ સાચી માનવી અને સાચી વાત કહેનાર ગુરુશાસ્ત્રના ક્યનોના પણ મરજી મુજ્બ અર્થ કરી સ્વેચ્છાચારી થવું તેને સ્વચ્છંદ કહે છે. જાવે પોતાનો સ્વચ્છંદ ટાળવો હોય તો પોતાની લગામ અને ગુરુની લગામ એમ બે પ્રકારની લગામ રાખવી જોઈએ. પોતાની લગામથી પોતે વિચારવું જોઈએ કે તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોને હું મારી રીતે સમજું છું પણ તે મને હૃદયગત થતાં નથી કે તેનું દેવ-વ-કોઈ ફળ દેખાતું નથી. જો મારી માન્યતા સાચી હોય તો આ સંસાર અને તેના દુઃખોનો કોઈ કિનારો આવવો જોઈએ. પણ તેમ થતું નથી. તો મારે નવેસરથી ફરી વિચારણા કરી તત્ત્વજ્ઞાન અનો તેના સિદ્ધાંતોની સમજણ કરવી જોઈએ. ગુરુની લગામ માટે ગુરુ જ્ઞાની છે એમ મારે નક્કી કરવાનું છે, જો ગુરુ જ્ઞાની છે તો 'પુરુષ પ્રમાણ વચન પ્રમાણ એ ન્યાયે મહાપુરુષ જે વાત કરે છે તે પ્રમાણભૂત છે, પરમ સત્ય છે તે મારે સ્વીકારવું જોઈએ. તેમની વાત હું સમજી શકતો નથી તો એમાં મારો જ દોષ છે. વળી સાચી વાત તર્ક અને ન્યાયની કર્સટીમાંથી પસાર થઈ શકે તેવી હોય છે. સિદ્ધાંતની સાચી સમજણ હોય તો તે પોતે જ સાર્યા અને બીજા બધાં ખોટા તેમ માની મનમાની કરવી, દુરાગ્રહ રાખવો, હઠાગ્રહ કરવી. તે સઘળું સ્વચ્છંદ છે. સ્વચ્છંદી જીવ તત્ત્વજ્ઞાન અને તેના સિદ્ધાંતોને સમજતો નથી અને તેનું સ્વરૂપ અન્યથા માને છે, આગમ વિરુદ્ધનું આચરણ કરે છે અને ગુરુને પણ ગણકારતો નથી. તે શાસ્ત્રના કથનોનો પોતાની માન્યતા અનુસારનો ચો અર્થ કાઢે છે અને પોતાની મિથ્યા માન્યતાને કોઈ પણ રીતે છોડતો નથી.ી. ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવા માટે પોતાને પામર માનવાની મિથ્યા માન્યતા અને તે અંગેનો સ્વચ્છંદ છોડવા અનિવાર્ય છે તેથી સ્વચ્છંદ છોડ્યા વિના આ સિદ્ધાંત હૃદયગત થવો અસંભવ છે,
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy