SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ પ્રકરણ-૫ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ વસ્તુનો અમુક બીજી વસ્તુ સાથેનો અચલ સહચાર છે. ધુમાડાનો અગ્નિ સાથે સહચાર અચલ છે અને એ નિરપવાદ છે. ધુમાડાને અગ્નિ સાથે અવિનાભાવીપણું છે. જયાં ધુમાડો હોય ત્યાં નિયમથી અગ્નિ હોય જ છે, આ કારણે ધુમાડાને અગ્નિ સાથે વ્યામિ છે એમ કહી શકાય છે. આ વ્યાતિના આધારે અદૃષ્ટ કે અપ્રગટ એવા અગ્નિરૂપ સાધ્યની સિદ્ધિ દૃષ્ટ કે પ્રગટ એવા ધુમાડારૂપ સાધનથી છે. અહીં સાધ્ય સાધન અભિન્ન એટલે કે એક જ પદાર્થમાં અને એક જ સ્થળે હોય છે. સાધ્ય-સાધનના વિસ્તારને અનુસરીને વ્યાસિ બે પ્રકારે છે — ૧. સમયા અને ૨. વિષમળ્યા, - ૧. સમવ્યામિ : સાધ્ય અને સાઘનનો વિસ્તાર સમાન હોય તે સમવ્યા છે, અહીં સાધ્ય અને સાધન અરસપરસ અવિનાભાવી સંબંધ ધરાવે છે, જેમ કે, જ્યાં કોઈ દ્રવ્ય હોય ત્યાં તેની કોઈને કોઈ પર્યાય હોય અને તેનાથી વિપરીત જ્યાં કોઈ પર્યાય હોય ત્યાં તેના આધારભૂત દ્રવ્યની પણ ઉપસ્થિતિ અવશ્ય હોય જ. ૨. વિષમવ્યાસિ : સાધ્ય અને સાધનનો વિસ્તાર સમાન ન હોય તે અસમવ્યાપ્તિ કે વિશ્વમાવે છે. અહીં વ્યાગિનો વિસ્તાર સાધનમાં હોય છે પણ સાધ્યમાં હોતો નથી. તેથી તેનો બન્ને તરફનો અવિનાભાવી સંબંધ હોતો નથી. જેમ કે, અગ્નિ સાધ્ય અને ધુમાડો સાધન હોય ત્યાં ધુમાડારૂપ સાધનમાં અગ્નિરૂપ સાથેની વ્યાપ્તિ છે. તેથી જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય છે એમ કહી શકાય છે પણ તેનું સાદું પરિવર્તન શક્ય નથી. એટલે કે સાધ્ય-સાધનને અરસપરસ બદલાવી નાખવામાં આવે તો ત્યાં અગ્નિરૂપ સાધનમાં ધુમાડારૂપ સાધનની વ્યાપ્તિ નિયમથી કહી શકાતી નથી. તેથી જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય છે તેમ કહી શકાતું નથી. કેમ કે, ધુમાડા વિના પણ અગ્નિ હોય શકે છે. સાધ્યની સિદ્ધિ માટે સમ કે વિષમ કોઈ પણ વ્યામિ કાર્યકારી છે. પરંતુ આ વ્યામિ સમર્થન થઈ શકે તેવી હોવી જોઈએ. વ્યામિનું સમર્થન કરવાની વિધિનો ક્રમ આ મુજબ છે. ૧. અતિ પી 2. નાસ્તિ પદ્ધતિ ૩. વિરુધી દ્રષ્ટાંતની અનુપસ્થિતિ પદ્ધતિ ૪. વ્યાપક લક્ષણ અનુભૂતિ પદ્ધતિ ૧. અસ્તિ પદ્ધતિ સાઘનની ઉર્પાતિમાં સાથ્યની પણ ઉર્પાતિ હોવી તે અસ્તિ પદ્ધતિ છે. જેમ કે, જ્યાં ધુમાડાની ઉપસ્થિતિ છે ત્યાં અગ્નિની પણ ઉપસ્થિતિ હોય જ છે. ર. નાસ્તિ પદ્ધતિ સાથ્યની અનુતિમાં સાઘનની પણ અનુ\સ્બત લેવી તે ર્જાસ્ત પતિ છે. જેમ કે, જ્યાં અગ્નિની અનુપસ્થિતિ છે ત્યાં ઘુમાડાની પણ અનુપસ્થિતિ હોય જ છે, ૩. વિરોધી દૃષ્ટાંતની અનુપસ્થિતિ પદ્ધતિ ઉપરોક્ત સ્ત-નાસ્તિ પતિના વિસેથી દાંતની અનુર્પાતિ એ વ્યાપ્તિના સમર્થનની ત્રીજી વિષેથી
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy