SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા હોચ પણ એકરૂપતા હોય જ નિહ. આત્માની એકરૂપતા જ તેની શુદ્ધતા અને સંપૂર્ણતાને બતાવે છે. અને જે શુદ્ધ અને સંપૂર્ણ હોય તે જ પરમાત્મસ્વભાવ હોય છે. બાળપણ અને બૂઢાપાના જોડરૂપ પ્રત્યભિજ્ઞાનના આધારે મારો અમુક એક બાબતનો બીજી અમુક આત્મા એકરૂપ છે અને એકરૂપ આત્મા પોતે જ પરમાત્મસ્વભાવી બાબત સાથેના વિનાભાવી અચલ સહચારને વ્યાપ્તિ કહે છે. એટલે કે જ્યાં અમુક એક બાબત ોય ત્યાં બીજી અમુક બાબત અવશ્ય હોય જ એવા અચલ સાહચર્યરૂપ સંબંઘનો નિયમ એ જ વ્યાપિ છે. છે. અને મારો આત્મા પરમાત્મસ્વભાવી હોવાના કારણે ‘હું પરમાત્મા છું’સિદ્ધાંતની સિદ્ધિ થાય છે. આ રીતે ભિન્નભિન્ન અવસ્થાઓ સમયે એકરૂપ રહેતા પરમાત્મ-સ્વભાવની અપેક્ષાએ પૂર્વના સ્મરણ અને વર્તમાન પ્રત્યક્ષના જોડરૂપ પ્રત્યભિજ્ઞાનના આધારે ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતની બીજા પ્રમાણોથી ભિન્ન સ્વતંત્ર સિદ્ધિ છે. 'હું પરમાત્મા છું' એ સિદ્ધાંતનું સ્મૃતિજ્ઞાન હોય તે તેનું પ્રત્યભિજ્ઞાન વડે ઢીકરણ કરી શકે છે. સ્મૃતિજ્ઞાનને કારણે ‘હું પરમાત્મા છું' એ સિદ્ધાંતનું સ્મરણ થયા કરે છે. તે જ રીતે બચપણથી બૂઢાપા સુધીની ભિન્નભિન્ન પ્રકારની અનેક અવસ્થાઓનું પણ પોતાને સ્મરણ હોય છે. પ્રત્યભિજ્ઞાનના આધારે આ જુદી જુદી અવસ્થાઓમાં આત્મા તો એક જ હોય છે. પોતાના આત્માની આ એકરૂપતા એ જ તેનો પરમાત્મસ્વભાવ છે. આ એકરૂપ પરમાત્મસ્વભાવના આધારે જ પ્રત્યભિજ્ઞાન સંભવે છે. અને પ્રત્યભિશાનના આધારે પોતે પોતાને એકરૂપ એટલે કે પરમાત્મસ્વભાવપણે ભાસે છે. તેથી હું પરમાત્મા છું' સિદ્ધાંતનું ઢીકરણ શાય છે. ૧૦૩ ૮. વ્યાધિ Invariable Concomitance વ્યાપ્તિને ૧. યુક્તિ, ૨. નર્ક, ૩. હા જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે તે આ રીતે— ૧. યુક્તિ : કોઈ કરામત કે તદબીરને યુક્તિ કહે છે, વ્યાપ્તિમાં અદૃષ્ટ કે અપ્રગટ હોય તેવા સાધ્યની સિદ્ધિ માટે દૃષ્ટ કે પ્રગટ હોય તેવા સાધનનું કોઈ કરામત કે તદબીરપૂર્વક સાંકેતિક કે ગર્ભિત સૂચન થતું હોય તેને યુક્તિ કહેવાય છે. ર. તર્ક : વિચારપ્રક્રિયાને તર્ક કહે છે, વ્યાપ્તિમાં વિચારપ્રક્રિયા સંકળાયેલી હોવાથી તેને તર્ક પણ કહે છે. 3, ઉહા ઃ તર્કણાપૂર્વકની કલ્પનાને ઉહા કહે છે. વ્યામિમાં તર્કણાપૂર્વકની કલ્પના પણ હોવાથી તે ઉહા તરીકે પણ ઓળખાય છે. જ્યાં અમુક એક વસ્તુ હોય ત્યાં અમુક બીજી વસ્તુ હોય જ એવો નિયમ રજૂ કરતું સર્વદેશી વિધાન તે વ્યાપ્તિ છે. આ રીતે વ્યાપ્તિ એ અમુક એક
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy