________________
મેળવવું એ સ્તીમાંથી તેલ કાઢવા જેવું છે. સંસાના કહેવાતા સુખની શોધમાં જ આ જીવ આત્મિક અતીન્દ્રિય સુખને ગુમાવી બેસે છે.
સંસારની સાનુકૂળતાઓમાં સુખ માનવામાં આવે છે. પણ પુણ્યોદયથી પ્રાપ્ત આ સુખ મોહજન્ય રતિકષાયના પરિણામ હોવાથી પરમાર્થે તે દુઃખ જ છે. સંસારનું કહેવાતું સુખ પરાધીન, બાધાવાળું, ખંડિત, ખેખિન્ન, બંધ સહિતનું, વિષમ, ક્ષુબ્ધ, જ્ઞાણિક, સોપાર્થિક અને સાપે હોવાથી અત્યંત આકુળ છે તેથી તે દુઃખ જ છે. આ સાંસારિક કહેવાનું સુખ અત્યંત નિકૃષ્ટ, નિ:સાર અને નિરર્થક હોવાથી તદ્દન હેય છે. તેથી વિરુદ્ધ મોક્ષ અને મોઢામાર્ગનું સુખ સ્વાધીન, બાઘા વિનાનું, અખંડિત, અખેદખિન્ન, બંઘ રહિતનું, એક સરખું, અક્ષુબ્ધ, શાશ્વત, નિરૂપાધિક અને નિરપેક્ષ હોવાથી અત્યંત
નિરાકુળ છે અને તેથી તે જ સાચું સુખ છે. આ પારમાર્થિક સાળું સુખ અત્યંત ઉત્કૃષ્ટ, સારામૃત અને સાર્થક હોવાથી
પરમ ઉપાય છે.
આપણે કોઈની પાસે દુ:ખના ગાણા ગાઇએ તે પહેલાં જ તે પોતાના રોદણાં રોવા માંડે છે. કોઈને ઈષ્ટના વિયોગનું તો કોઈને અનિષ્ટના સંયોગનું દુઃખ હોય છે. કોઈને Śશા સ્ત્રીનું દુ:ખ તો કોઇને અત્યાચારી પુત્યનું દુ:ખ, કોઈને વાંઢા રહેવાનું દુ:ખ તો કોઇને પરણવાથી થતું દુ:ખ, કોઈને સધવાપણાથી દુ:ખ તો કોઈને વિઘવાપણાનું દુઃખ, કોઈને વાંઝિયા રહેવાનું દુઃખ તો કોઈને સંતાન હોય તોય દુઃખ, કોઈને પુત્રના પાતરપણાનું દુ:ખ તો કોઈને પુત્રીના દુઆચરણથી દુ:ખ, નિર્ધનને ધન ન હોય તેનું દુ:ખ તો ધનવાનને વધતી જતી તૃષ્ણાનું દુઃખ, રોગીને પેનાનું દુઃખ તો નિરોગીને રોગથી બચી શરીરને સાચવવાનું દુઃખ, ખાવાનું ન મળે ત્યારે ભૂખનું દુ:ખ અને માવતા મોજન મળે ત્યારે ડોક્ટરને ખાવાની મનાઇ રમાવે તેનું દુ:ખ કોઈને દુનથી થતી દખલગીરીનું દુઃખ તો કોઇને મિત્રથી થતી હિતશત્રુતાનું દુઃખ, કોઈને અપમાનનું દુ, તો કોઈને રાન્માનની ઓછપનું દુઃખ. આ જગતમાં કોઈપણ મનુષ્ય કોઇપણ દુ:ખ વગરનો હોય તેવું જોવા મળતું નથી. મનુષ્યજીવનમાં રેતના ની જેમ એકદુઃખ મઢે ત્યાં બીજું દુ:ખ આવીને ઊભું જ હોય છે. અજ્ઞાની જીવ પુણ્યોદયથી પ્રાપ્ત સાનુકૂળ સંયોગોમાં
E
સંસારનાં દુઃખમય સ્વરૂપના કારણે સંસારની
નિરર્થકતા અને મોક્ષના સુખમય સ્વરૂપના કારણે સુખ માને છે. તોપણ તે કોઈ સાચું સુખ નથી. તીર્થંકર જેવા સર્વોઃ પુણ્ડા ધણી સાંસારિક સર્વ પ્રકારની સાનુકૂળ સામગ્રીઓનો ત્યાગ કરીને આત્માની સાધના કરવા માટે મુનિદીક્ષા અંગીકાર કરીને વનમાં વસે છે, તે જ બતાવે છે કે સંસારમાં ક્યાંય સુખ હોતું નથી. અજ્ઞાનીના અજ્ઞાનના કારણે જ જેમાં સુખ નથી તેમાં સુખ માસે છે.
મૉક્ષમાર્ગની સાર્થકતા સમજવી એ જ સંસારભાવના ચિંતવનનું સાધન કે કારણ છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્નની ઃ બાર ભાવના
આ પ્રકારે સંસારદુ:ખ અને મોક્ષસુખની સાચી સમજણ કરીને સંસારના નાશનો અને મોઢાની પ્રાપ્તિનો
ઉપાય વિચારોને સંસારભાવનાની ચિંતવન પ્રક્રિયા છે.
સંસારભાવનાનું સાધન કે કારણ
આ સંસારમાં ડગલે ને પગલે દુઃખ, દુઃખ ને દુઃખ જ જોવા મળે છે. જન્મનું દુઃખ, મરણનું દુઃખ, વૃદ્ધા વસ્થાનું દુ:ખ, શારીરિક દુ:ખ, માનસિક દુ:ખ,
૬૬
હૃદયજન્ય દુઃખ, વિષયજન્ય દુઃખ, કષાયજન્ય દુ:ખ, પાપોદયના દુ:ખ, પુણ્યોદયના દુ:ખ, અસ્થિરતાના દુઃખ જેવા અનેક પ્રકારના દુઃખો પૈકી કોઈને કોઈ દુ:ખો કાયમ માટે હોય જ છે.