SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના અશરણભાવના જે આઘાર આપે, મદદ કરે, ટેકામાં રહે, રક્ષણ કરે તેને ચારણ કહે છે, જે નિત્ય હૉય. તે શરણરૂપ અને અનિત્ય હોય તે અશરણરૂપ હોય છે. સાંસારિક સંયોગો અને સંયોગીભાવો અનિત્ય હોવાથી અશરણ છે. પોતાનો શુદ્ધાત્મા જ પોતાના માટે નિત્ય હોવાથી નિશ્ચય શરણરૂપ છે. અને શુદ્ધાત્માના શરણને સમજાવનારા અને ત્યાં સુધી પહોંચાડનારા વીતરાગી દેવ-ગુરુ-ધર્મ વ્યવહારથી રણ છે. આ સિવાય આ જીવને કૉઈ શરણ નથી તેવું ચિંતવન કરવું તે અરારાભાવના છે. સત્તા સંપતિ સન્માન, ત પિત પરિવાર, સેટીકપડા કાન, દવા વાખાના ડોહેર, મણિ મંત્રતંત્ર જેવા બાહા સાંસારિકસંયોગો અને કળા કૌશલ્યકારીગરી, ખળ-બુદ્ધિ-ચતુરાઈ, સંયમ-સદાચારસમાપ, વ્રત-તપ-નિયમ, લૌકિક સુખ-શાંતિસહિષ્ણુતા જેવા આંતરિક સંયોગીભાવો અનિત્ય હોવાથી અશરણ છે. પોતાના માટે પોતાનો ત્રિકાળ ધ્રુવ શાશ્વત શુદ્ધાત્માં જ નિત્ય હોવાથી નિશ્ચયથી શણ છે. શુદ્ધાત્માના સ્વરૂપને સમજાવી શુદ્ધાત્માની ઓળખાણ કરાવનાર, શુદ્ધાત્માની પ્રાપ્તિનો માર્ગ બતાવનાર, શુદ્ધાત્માની ભાવના કરાવનાર એવા શુદ્ધાત્મારૂપી પીતરાણી દેવ-ગુરુ વ્યવહારથી શણ છે. શુદ્ધાત્માના આશ્રયે ઉત્પન્ન થતો વીતરાગી ધર્મ પણ શુદ્ધાત્માની પ્રાપ્તિ કરાવનાર હોવાથી વ્યવહારથી શરણરૂપ છે. આ સિવાય આ જગતમાં આ જીવને અન્ય કોઇ શરણ નથી. આ પ્રકારની વારંવારવિચારણા થવી તે અશરણભાવના છે. ૨. અશરણભાવના અશરણભાવનાને અસહાયભાવના પણ કહે છે. જેમ કેવળજ્ઞાન અસહાય છે, તેમ સાંસારિક સંયોગો અને સંયોગીભાવો પણ અસહાય છે. લોકાલોક જેવા ફોયના કારણે કેવળજ્ઞાન નથી. કેવળજ્ઞાન માટે શરીર, મન, ઈન્દ્રિયાદિની આવશ્યક્તા નથી. તેમ સંસારી જીવના જન્મા જીવન મરણ જેવા સંયોગો અને સુખ દુ:ખસમમાવ જેવા સંયોગીભાવોમાં અન્ય કોઇની સહાય હોતી નથી. આ રીતે સંસારનું અરાયપણું વિારવું તે પણ અશરણમાંના હોવાથી તેને અસહાયમાવના પણ કહે છે. શણ અને અશરણ જે આઘાર આપે, ટેકામાં રહે, સહાય કરે, રક્ષણ પૂરું પાડે તેને શરણ કહેવાય છે. શરણ આપનારને આઘાર અને શરણ લેનારને આઘેય કહેવામાં આવે છે. આવું આધાર આધેયપણું એક જ દ્રવ્યમાં અભિન્નપણે હોય છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યામાવતે આધાર અને અને તેની માણેક્ષણે પલટતી પર્યાય તે આધેય હોય છે. આ રીતે પોતાનો ત્રિકાળ યુદ્ધ શુદ્ધ કરવભાવ જ પોતાને આધાર કેશરણરૂપ છે અને તે સિવાયના અન્ય કોઈ બાહ્ય સંયોગો કે સંયોગીભાવો પોતાને શરણરૂપ નથી. શરણ આપનાર નિત્ય અને શુદ્ધ હોય તે જરૂરી છે. જે નિત્ય ન હોય તે અનિત્ય હોય. અનિત્ય હોય તે નાશવંતહોય.નાશવંત પોતે જ અશ્ચિત છે. અક્ષિત એટલે કેઅશરણ હોય તે બીજાને સુરક્ષા એટલે કે શરણ આપી શકે નકિ તેથી જ્યાં નિત્યતા ત્યાં શણતા અને અનિત્યતા ત્યાં અશરણતા. પોતાના માટે પોતાનો આત્મા જ નિત્ય છે. તે સિવાયના સઘળાં સંયોગો અને સંયોગીભાવો અનિય ૪૭
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy