SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પોતામાં જે ક્રોધાદિ ક્યાયો, વિષયાદિ વિકારો, ઉદ્વેગ અને આકુળતા છે, તે બધાનું મૂળ કારણ અનિત્યને નિત્ય રાખવાની ઘેલછા છે. આવી દરેક સમસ્યાનું સમાઘાન અનિત્યને અનિત્ય સામાન્ય રીતે મનુષ્યને સૌથી મોટો મિય મરણનો હોય છે. અનિત્વામાપનાના ચિંતવનથી તરીકે સ્વીકારવામાં છે, જે અનિત્યમાવનાના પોતે પોતાના મરણને સમજે અને સ્વીકારે તો ચિંતન દ્વારા સામવે છે. તેને મરણનો ભય રહેતો નથી. એટલું જ નહિ પણ કોધાદિ કાયો, વિષય વિકારો વગેરે પણ વિરમે છે. આકુળતા અને ઉદ્દેગરૂપ અશાંતિનો અંત આવે છે અને શાંતિનો અનુભવ થાય છે. આ બાબતને વધુ સમજવા માટે અહીં સત્ય બનેલી ઘટના અમુક ફેરફાર કરીને કોઈનું નામ આપ્યા વિનાની એક દૃષ્ટાંતકથારૂપે આપવામાં આવે છે. સામાન્ય રીતે પોતાને સઘળાં સંયોગો અનિત્ય છે એવી સમજ છે પણ સ્વીકાર નથી. કદાચ સ્વીકાર છે તોપણ તે અનુસારનું વર્તન નથી. તેનું કારણ અનિત્યમાવનાના અભ્યાસપૂર્વકનું ચિંતવન નથી. તેથી અનિત્યતાની બાબત બુદ્ધિમાં છે પણ હૃદયમાં નથી, જે બાબત હૃદયગત ન હોય તેનું આચરણ આવતું નથી. સત્તાસંપત્તિ જાળવવાની ઝંઝટ, પૈસા પાછળની આંધળી દોઢ અને શરીરનું સ્વાસ્થ્ય સાચવવા માટેની દોડઘામ જેવી બાબતો દર્શાવે છે કે પોતે અનિત્ય સંયોગોને જ સાચવી રાખવાની મથામણ કરી રહ્યો છે. પોતે અનિત્ય સંયોગોની પાછળ ખુવાર થતો જોવામાં આવે છે તે જ બતાવે છે કે પોતાને અનિત્યતાની બાબત થત નથી. પોતાની ચારેબાજુ અનિત્યતા જોઈ શકાય છે, પણ પોતે પોતાને તો નિત્ય જ માને છે. બીજાને મરતા જુએ છે પણ પોતે તો જાણે અમર જ છે ! બીજો કોઈ કરોડપતિમાંથી રોડપતિ થતો જોવામાં આવે છે પણ પોતાની નો કાયમ વની દેણગી જ માનવામાં આવે ઘે ! આવી બધી ભ્રાંતિના કારણે પોતે વાસ્તવિકતાથી દૂર રહે છે. તેથી અનિત્યને નિત્ય રાખવાની મથામણમાં સાકુળતા અને ઉદ્વેગરૂપ અશાંતિ અનુમવે છે. પોતાની પ્રત્યેક સમસ્યાના મૂળમાં અનિત્યતાની વાસ્તવિકતાનો ૧. અનિત્યભાવના અસ્વીકાર જ હોય છે, અને અનિયાવનાના ચિંતવનથી જ તેનું સમાઘાન હોય છે. એક શેઠ હતા. તેમને મોટો વેપાર, ઘણો કારોબાર, અઢળક સંપત્તિ, બહોળો પરિવાર અને સઘળાં પ્રકારની સુવિધાઓ હતી. કોઈ ચીજની કમી નહોતી. પણ શેઠને સંતોષ નહોતો. સંપત્તિ સાચવવા અને વઘારવા માટે તેઓ હંમેશાં ચિંતિત રહેતા. લોભ અને લાલચના કારણે તૃષ્ણાથી તડપતા. અપેક્ષિત કાર્ય ન થવાથી તેમનો ડોઘાગ્નિ ભભૂકી ઊઠતો. ચીડિયાં સ્વમાવના કારણે પરિવારના સભ્યો પણ તેમનાથી દૂર રહેતા. શેઠની સમૃદ્ધિ કરતાંય તેમની અશાંતિ અધિક હતી. તેવા સમયે એક સંત શહેરમાં પધાર્યા. શેઠાણીના આગ્રહથી શેઠ પણ સંતના દર્શન કરવા ગયા. શાંત અને સૌમ્ય સંતના દર્શનથી ો પ્રમાવિત થયા અને કાંઈક શાંતિ અનુમથી. તેથી તેમણે પોતાની શાંતિની સમસ્યા રજૂ કરી ૨૯
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy