SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧ ૮૦૫ પ્રીતિ સર્વ દુઃખ ભૂલાવી દે છે તેવી જ રીતે તત્ત્વજ્ઞાનના અર્થી અને સાંસારિક ભાવોથી વિરક્ત બનેલા આત્માર્થી મુમુક્ષુ જીવોને અનશન-ઉણોદરી-વૃત્તિસંક્ષેપ-રસત્યાગ ઈત્યાદિ બાહ્યતપ અને પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવચ્ચ ઈત્યાદિ અભ્યત્તર તપ આચરવો દુસ્સહ લાગતો નથી. કર્મ ખપાવવાની અને આત્મતત્ત્વ સાધવાની એટલી બધી તાલાવેલી લાગી હોય છે કે દુસ્સહ વસ્તુ પણ સુસહ થઈ જાય છે. કાર્યનો અર્થી જીવ તેના કારણસેવનમાં ક્યારેય પ્રમાદ કરતો નથી. પરીક્ષામાં પાસ થવા રૂપ કાર્યનો અર્થી જીવ તેના ઉપાયભૂત વાંચન-પઠન-પાઠનમાં ક્યારેય પ્રમાદ કરતો નથી. નફાનો અર્થી જીવ તેના કારણભૂત એવો વેપાર કરવામાં ક્યારેય પ્રમાદ કરતો નથી. નિરોગી થવાનો અર્થી જીવ તેના ઉપાયભૂત ઔષધ લેવામાં ક્યારેય પ્રમાદી બનતો નથી. તેમ અહીં પણ સમજવું. આ કારણથી આત્માના અનંત ગુણોના સુખસ્વરૂપ પરમાનંદનું કાર્ય કરવાનો અર્થ એવો આરાધક-સાધક જીવ અનશન વગેરે તપશ્ચર્યા કરવા રૂપ કષ્ટકારી અનુષ્ઠાન આચરવામાં પણ ક્યારેય દુસ્સહપણું માનતો નથી. પણ હોંશે હોંશે તે તે અનુષ્ઠાન કરવામાં જોડાય છે. તે મુમુક્ષુ જીવ મનમાં સમજે છે કે જો યથાર્થ કારણ સેવીશું તો જ યથાર્થ કાર્યની સિદ્ધિ થવાની છે. III सदुपायप्रवृत्तानामुपेयमधुरत्वतः । ज्ञानिनां नित्यमानन्द-वृद्धिरेव तपस्विनाम् ॥४॥ ગાથાર્થ :- ઉત્તમ અને સાચા ઉપાયમાં પ્રવર્તેલા જ્ઞાની અને તપસ્વી મહાત્માઓને ઉપેયની મધુરતા જણાવાથી હંમેશાં આનંદ આનંદની વૃદ્ધિ જ હોય છે. ટીકા :- “હુપાતિ” તપસ્વિનાં તીવ્રતોનાનાં માસવિષUHસાન્ત सर्वाहारपरिहारातापनाकायोत्सर्गादिजिनकल्पपरिहारविशुद्धिमुनीनां ज्ञानिनां सूक्ष्मानन्तस्वपरपर्यायविवेकमग्नीकृतचैतन्यानाम् तपस्विनां परीषहादौ वननदीगह्वरवासेऽपि आनन्दवृद्धिरेव । यथा हि कश्चिदधमर्णः प्राप्तद्रव्योपचयः उत्तमर्णाय द्रविणं ददन्। आत्मानं धन्यमेव मन्यते, अथवा लब्धिसिद्ध्यर्थी पूर्वसेवायामुद्बाहुः अधोमुखादि महाकष्टानुष्ठानमपि तत्सिद्धिसाध्याभिलाषी यथात्यन्तकष्टं चेष्टते तथा हर्षमेति, एवं ૧. અહીં રા ધાતુ ત્રીજો ગણ લઈએ તો – રૂ૫ થાય. અથવા રત્ ધાતુ પહેલો ગણ લઈએ તો આત્મપદી છે એટલે રત્ ન થાય પણ માત્મા નિત્યમ્ વિચારીએ તો જ આ રૂપ સંગત થાય.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy