________________
જ્ઞાનમંજરી
ધ્યાનાષ્ટક - ૩૦
૭૮૩
જે મહાત્મા, શીત (ઠંડી) વાયુ (પવન) અને આતપ (ગરમી) વગેરેનાં તોફાનો આવવા છતાં સંતાપને (આકુલ-વ્યાકુલતાને) પામતો નથી, તથા અમર બનાવનારી એવી જે યોગદશા છે તે રૂપી અમૃતનું રસાયન પીવાને જે ઈચ્છે છે. ૭-૩ા
રાગ-દ્વેષ-વિષયવિકારો આદિથી અવ્યાપ્ત અને ક્રોધાદિ કષાયોથી અદુષિત એવા સ્વચ્છ અને પવિત્ર મનને આત્મા માત્રમાં જ રમનારું જે રાખે છે અને સર્વ પ્રકારનાં કાર્યોમાં જે નિર્લેપ રહેનારા છે. ૭-૪
કામસુખો અને ભોગસુખોથી વિરક્ત બનીને પોતાના શરીરને વિષે પણ જે નિઃસ્પૃહ છે તથા સંવેગ પરિણામ રૂપી સરોવરમાં મગ્ન થઈને સર્વત્ર સમતાનો જે આશ્રય કરે છે
119-411
રાજા ઉપર કે દરિદ્ર પુરુષ ઉપર તુલ્યપણે (ભેદભાવ વિના) કલ્યાણ કરવાની કામનાવાળો અને અપરિમિત કરુણાનો ભંડાર તથા સાંસારિક સુખોથી જે પરાસ્મુખ છે.
||૭-૬॥
ઉત્તમ એવા મેરૂપર્વતની જેમ જે નિષ્પકમ્પ છે. ચંદ્રમાની પેઠે જે આનંદ આપનાર છે. વાયુની જેમ જે નિઃસંગ છે આવો સુધી (બુદ્ધિશાળી) પુરુષ ધ્યાન કરનાર તરીકે પ્રશંસાને પાત્ર છે. II૭-જ્ઞા
આ પ્રમાણે ધ્યાતા કેવો હોવો જોઈએ ? આ પ્રશ્નનું સમાધાન કરવા સ્વરૂપે ધ્યાતાનું વર્ણન કર્યું. આવા પ્રકારનો જે અંતરાત્મા છે અર્થાત્ સાધક આત્મા છે તે જ ધ્યાતા હોઈ શકે છે. જેને આત્મતત્ત્વ મેળવવાની ઘેલછા લાગી છે, જેણે મોહદશાને નબળી પાડી છે તે જ આત્મા ધ્યાન કરી શકે છે.
तु - पुनः ध्येयः- ध्यातुं योग्यः, परमात्मा - क्षीणघातिकर्मा अर्हन्, नष्टाष्टकर्मा सिद्धो वा । वस्तुवृत्त्या सत्तागतः सिद्धात्मा ध्येयः प्रकीर्तितः । च-पुनः एकाग्र्यसंवित्तिः-एकाग्र्यं तन्मयत्वेन परमात्मस्वरूपे अनन्तपर्यायात्मके एकाग्रत्वेन संवित्तिः- ज्ञानं ध्यानमुच्यते । इत्यनेन अर्हदादिशुद्धगुणज्ञानसंवेदनतन्मयता ध्यानम् । चेतनावीर्यादीनां सर्वक्षयोपशमानां स्वरूपोपयोगलीनत्वं ध्यानम् । तत्र धातुः ध्येये तदेकाग्रतारूपे ध्याने समापत्तिः निर्विकल्पता तारतम्यरहिता चित्परिणतिः एकता શેયા રા
ધ્યાતાનું વર્ણન કરીને હવે ધ્યેય કોને કહેવાય ? તે સમજાવે છે. ધ્યેય એટલે ધ્યાન