________________
૭૮૨
ધ્યાનાષ્ટક- ૩૦
જ્ઞાનસાર उपतापमसम्प्राप्तः, शीतवातातपादिभिः । पिपासुरमरीकारि, योगामृतरसायनम् ॥३॥ रागादिभिरनाक्रान्तं, क्रोधादिभिरदुषितम् । आत्मारामं मनः कुर्वन्, निर्लेपः सर्वकर्मसु ॥४॥ विरतः कामभोगेभ्यः, स्वशरीरेऽपि निःस्पृहः । संवेगहूदनिर्मग्नः, सर्वत्र समतां श्रयन् ॥५॥ नरेन्द्रे वा दरिद्रे वा, तुल्यकल्याणकामनः । अमात्रकरुणापात्रं, भवसौख्यपराङ्मुखः ॥६॥ सुमेरुरिव निष्कम्पः, शशीवानन्ददायकः । समीर इव निःसङ्गः, सुधीर्ध्याता प्रशस्यते ॥७॥
(યોગશાસ્ત્ર પ્રાશ ૭ સ્નો ૨ થી ૭) इति ध्यातृस्वरूपम् । एवंविधो ध्याता अन्तरात्मा-साधकात्मा ।
વિવેચન :- આત્માના ત્રણ ભેદ છે - ૧. બહિરાત્મા, ૨. અત્તરાત્મા અને ૩. પરમાત્મા. મોહને આધીન જે આત્મા હોય તે બહિરાત્મા, આવો આત્મા રાગાદિ તીવ્ર કપાયોવાળો અને મિથ્યામોહના ઉદયવાળો હોવાથી ધ્યાન કરવાને માટે અયોગ્ય છે. બીજો અત્તરાત્મા, મોહનો જેણે ક્ષયોપશમ કર્યો છે. મિથ્યાત્વ મોહ તથા અનંતાનુબંધી ચાર કષાયોનો ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ જે જીવોએ કર્યો છે તે અન્તરાત્મા. ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધીના જે જીવો તે અત્તરાત્મા. આ જીવો સમ્યગ્દષ્ટિ હોવાથી અને મોહને કંઈક અંશે અંકુશમાં કરેલ હોવાથી ધ્યાન કરવાને માટે યોગ્ય છે. કેવલી થયેલા જે આત્માઓ છે તે પરમાત્મા, આ કૃતકૃત્ય હોવાથી ધાતા નથી. આ રીતે અંતરાત્મા એ જ ધ્યાતા છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રની અંદર પ્રકાશ સાતમામાં શ્લોક ૨ થી ૭ માં ધ્યાતાનું વર્ણન આ પ્રમાણે કરેલું છે.
પ્રાણોનો નાશ થાય એવો સંકટ સમય આવે તો પણ સંયમની અખંડ ધુરાને જે ક્યારેય મુકતો નથી, બીજા આત્માને પણ પોતાની તુલ્ય જે દેખે છે અને જે પોતાના સ્વરૂપથી ક્યારેય પણ પતન પામતો નથી. II૭-રા