________________
૭૬૪ ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર આશયવાળો એવો તું ભક્તિ અને શ્રદ્ધા ગુણ રૂપી કેસરથી મિશ્રિત ચંદનના રસ વડે શુદ્ધ એવા પોતાના જ આત્મા રૂપી પરમાત્માની બ્રહ્મચર્યની નવ વાડ ધારણ કરવા રૂપે નવ અંગે પૂજા કર. /૧-રા.
ટીકા :- “રામસા તિ” “પવિતશ્રદ્ધાતિ” સ્નોથી હુમત વ્યાપદ્યાનું दर्शयति, हे उत्तम ! एवंविधं शुद्धात्मानं अनन्तज्ञानादिपर्यायं आत्मरूपं देवं, "नव" इति नवप्रकारब्रह्मरूपाङ्गतः अर्चय-पूजय ।
વિવેચન :- મસા પદવાળા અને ભવિતશ્રદ્ધાન પદવાળા એમ બને શ્લોકોની એકીસાથે વ્યાખ્યા સમજાવાય છે. કારણ કે બન્ને શ્લોકોનો પરસ્પર સંબંધ છે. તેથી સાથે વ્યાખ્યા લખાય છે. તે ઉત્તમ જીવ! તું તારા પોતાના આત્મારૂપી પરમાત્માની (દેવની) પૂજા કર, તારો પોતાનો આત્મા શુદ્ધ છે, નિર્મળ છે, વીતરાગસ્વરૂપી છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવર્યાદિ ગુણપર્યાયવાળો છે. તેની તું પૂજા કર, નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડ પાળવા રૂપે વિભાવદશામાંથી નીકળીને સ્વભાવદશામાં આવવા રૂપે તારા આત્માની પૂજા કર.
હે ઉત્તમ જીવ ! તારો પોતાનો આત્મા જ પરમાત્મા છે, અનંત ગુણોનો સ્વામી છે. તેને બરાબર ઓળખ. તારું અનંત સ્વરૂપ તારામાં જ છે. બહાર ક્યાંય નથી. માટે પરદ્રવ્યમાં પ્રીતિ કરવાને બદલે સ્વદ્રવ્યમાં જ પ્રીતિ કર, વિભાવદશાને ત્યજીને સ્વભાવદશામાં આવ. બ્રહ્મચર્યની નવ વાડો એ સ્વભાવદશાની પ્રાપ્તિના ઉપાયો છે. માટે તે બ્રહ્મચર્યની નવ વાડો પાળવા રૂપ ઉપાયો દ્વારા તું તારા પોતાના આત્મા રૂપી પરમાત્માને પૂજ.
कीदृशो भूत्वा ? इत्याह दया-द्रव्यभावस्वपरप्राणरक्षणारूपा, सा एव अम्भ:जलं पानीयं, तेन कृतं स्नानं-पावित्र्यं येन सः । संतोषः-पुद्गलभावपिपासाशोकाभावरूपः, ते एव शुभानि वस्त्राणि, तेषां भृत्-धारकः । विवेकः-स्वपरविभजनरूपं ज्ञानं, तदेव तिलकं, तेन भ्राजी-शोभमानः । पुनः कथम्भूतः ? भावना-अर्हद्गुणैकत्वरूपा, तया पावन:-पवित्रः आशयः अभिप्रायः यस्य सः । पुनः भक्तिः-आराध्यता, श्रद्धाप्रतीतिः, “एस अट्ठे परमढे" एवंरूपा, (तद्पे ण) घुसणेन उन्मिश्रं पाटीरज, तस्य द्रवाः, तैः, शुद्धात्मा-परमेश्वरः, स्वकीयात्मापि दीव्यति स्वरूपे इति देवस्तं अर्चयपूजय तद्भक्तिरतो भव इति ॥१-२॥
વિવેચન :- હે ઉત્તમ જીવ ! તારે કેવા પ્રકારના થઈને આ આત્માની પૂજા કરવી જોઈએ ? આવી તને કદાચ શંકા થાય તો તેનો ઉત્તર હું આવું છું કે તારે આવા પ્રકારના ગુણીયલ બનીને તારા પોતાના આત્મા રૂપ પરમાત્માની પૂજા કરવી જોઈએ -