________________
॥ अथ पञ्चविंशतितमं परिग्रहत्यागाष्टकम् ॥
परिग्रहग्रहगृहीतस्य अनेकोपार्जनसंरक्षणगोपनाविकलचेतनावतः न शास्त्रज्ञानं सम्यग् भवति, अत: परिग्रहत्यागोपदेशमुपदिशति । तत्र परि - समन्तात् ग्रहः ग्रहणरूपः परिग्रहः । तत्र द्रव्यतो धनधान्यादिः । भावतः परवस्त्विच्छापरिणामः आशंसारूपः । तत्रात्मनः स्वपर्यायस्वामित्वपरिणतेः स्वपर्यायावरणेन तदभावात्, अशुद्धबलवीर्यगृहीतकर्मविपाकेषु शुभेषु हेतुभूतेषु ( अप्रशस्ता - ) प्रशस्तपरिणामेषु ममकार: परिग्रहः । स्वशुद्धसत्तागतगुणेभ्यः अन्यममकारस्वीकारसंरक्षणा परिणतिरूपा चेतनादिवृत्तिः परिग्रहः । आत्मनः स्वस्वरूपभासनरमणानुभवव्याघातः । अत एव त्याज्यः । द्रव्यपरिग्रहस्य भावपरिग्रहहेतुत्वात्, भावपरिग्रहस्याशुद्धोपादानत्वात् त्याग વ (ર્તવ્ય:) ।
મમતા એટલે મારાપણાનો જે પરિણામ તે ભાવપરિગ્રહ અને ધન-ધાન્યાદિ સાંસારિક
સાધનો તે દ્રવ્યપરિગ્રહ, આ બન્ને પ્રકારના પરિગ્રહો જીવને આકુલ-વ્યાકુલ બનાવે છે, અવિવેકી બનાવે છે. તેથી તેને ગ્રહની (ભૂત-પ્રેતની) ઉપમા આપવામાં આવે છે. જેમ જેને ભૂત-પ્રેત વળગ્યું હોય છે તે અવિવેકી બને છે તેમ પરિગ્રહને વશ થયેલો જીવ પણ અવિવેકી બને છે. તેથી પરિગ્રહ રૂપી જે ગ્રહ (ભૂત-વળગાડ) છે, તેના વડે ગૃહીત થયેલા જીવને સમ્યપ્રકારે શાસ્ત્રજ્ઞાન થતું નથી. કારણ કે અનેક વસ્તુઓને મેળવવામાં, મેળવેલી વસ્તુઓનું સંરક્ષણ અને સંગોપન કરવામાં જ તેની નિરંતર ચેતના (બુદ્ધિ) વર્તતી હોય છે. સંસારસુખનાં સાધનોને પ્રાપ્ત કરવામાં જ અને પ્રાપ્ત થયેલાં સાધનોનું સંરક્ષણ-સંગોપન અને તેની માવજતમરામત વગેરે કરવામાં જ આ જીવ રચ્યો પચ્યો રહે છે તેથી તેની ચેતના (બુદ્ધિ) તે તે કાર્યમાં જ નિરંતર વ્યાપેલી રહે છે. તે માટે તે જીવ સભ્યપ્રકારે શાસ્ત્રજ્ઞાન કરી શકતો નથી, આ વાત પ્રત્યક્ષપણે અનુભવસિદ્ધ છે કે જે આત્મા જેટલો જેટલો બાહ્યભાવમાં ઓતપ્રોત થાય છે તે આત્માની મતિ બાહ્યભાવમાં જ રંગાયેલી હોવાથી શાસ્ત્રોના ભાવોને જાણવામાં તે મતિ કામ કરતી નથી, શાસ્ત્રોનાં સૂક્ષ્મ-ઊંડાં રહસ્યોના જ્ઞાનથી તે આત્મા વેગળો રહે છે. આ કારણથી પરિગ્રહના ત્યાગ માટેનો ઉપદેશ ગ્રંથકારશ્રી કહે છે -
ત્યાં પત્તિ એટલે સર્વબાજુથી પ્રશ્ન એટલે ગ્રહણ કરવું, અર્થાત્ જ્યાં આત્મા સર્વબાજુથી પકડાય-બંધાય, જે વસ્તુ આત્માને ચારે બાજુથી બાંધી લે, ઝકડી લે, પકડી લે, તેનું નામ પરિગ્રહ, ધન-ધાન્યાદિ નવવિધ બાહ્યપરિગ્રહ અને મમતા-મૂર્છાદિ અભ્યન્તર પરિગ્રહ