SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧ जातिकुलदेहविज्ञानायुर्बलभोगभूतिवैषम्यम् । दृष्ट्वा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति ? ॥ १०२ ॥ इति । तत्र शुभोदये-ऐश्वर्यादिकाले अनेकाशुभाध्यवसाये परसंयोगोत्पत्तिरूपे, યોશિન:-રત્નત્રયીપરિળતસ્ય ા રતિઃ ? ન ાપિ । ક્તજી - सुभजोगो रइहेऊ, असुहजोगो अरइउत्ति । રાજો વકૂફ તેળ, અવો વોર્સ વિવ‡ ॥ ૬૦૭ सिवमग्गविग्घभूया, कम्मविवागा चरित्तबाहकरा । ધીરાળ સમયા તેહિં, ચાયામો વર્ફ ારા કૃતિ ॥૪॥ વિવેચન :- બીજી અને ત્રીજી ગાથામાં સમજાવ્યું કે પુણ્ય અને પાપકર્મોના વિપાકની રચના ચિત્ર-વિચિત્ર છે. એક દિવસ જે રાજા હોય છે તે જ રાજા બીજા દિવસે ભિખારી પણ થાય છે અને એક દિવસ ટૂંક હોય તે જ રંક બીજા દિવસે છત્રપતિ રાજા પણ થાય છે. આ કર્મનું કંઈ ઠેકાણું નહીં. આ કર્મો જીવને ઊંચી-નીચી પરિસ્થિતિમાં લઈ જાય છે. માટે કવિવર ગ્રંથકારશ્રી કર્મોની આ રચનાને ઊંટની પીઠ સાથે સરખાવે છે. ઘોડાની ઉપરની પીઠ (બેઠકવાળી સીટ) સમાન હોય છે. જેથી સુખે સુખે બેસી શકાય છે. પરંતુ ઊંટ ઉપરની પીઠ (બેઠકવાળી સીટ) ઊંચીનીચી હોય છે. એટલું જ નહીં, પરંતુ ચાલે ત્યારે પણ આખું શરીર ઉછાળે એટલે બેસનારના પણ શરીરના સાંધા દુઃખવા આવે, આવી વિષમ પીઠ ઊંટની હોય છે, કર્મની સૃષ્ટિ પણ તેવી જ વિષમ છે. માટે જ્ઞાની યોગી મહાત્માને તેવા પ્રકારના વિપાકોદયમાં પ્રીતિ કેમ થાય ? પુણ્ય-પાપનો ઉદય ક્ષણિક છે, પરાવર્તનશીલ છે. આ જીવને ક્ષણમાત્રમાં ઊંચે-નીચે લઈ જાય છે તેથી તેમાં પ્રીતિ કેમ કરાય ? પુણ્ય-પાપાત્મક કર્મની સૃષ્ટિ (રચના) ઊંટની પીઠની જેમ વિષમ છે, ખાડા-ટેકરાવાળી છે. અર્થાત્ ચડતી-પડતીવાળી રચના છે. કયા કારણે વિષમ છે ? જાતિ (મોસાળપક્ષ), કુલ (પિતૃપક્ષ) એકભવમાં ઊંચો પણ મળે અને બીજા ભવમાં નીચો પણ મળે, ક્યારેક એભવમાં પણ જાતિ અને કુળમાંથી એક પક્ષ ઊંચો મળેલો હોય અને બીજો પક્ષ નીચો મળે, તથા સંસ્થાન એટલે શરીરનો આકાર, ક્યારેક વ્યવસ્થિત અંગ-ઉપાંગની રચનાવાળું શરીર મળે, ક્યારેક ખોડ-ખાંપણવાળું, લુલા-લંગડા-બહેરા-આદિપણું પણ મળે, વર્ણ એટલે રૂપ, ક્યારેક શરીર સુંદર રૂપવાળું-રૂપાળું પણ મળે અને ક્યારેક કદરૂપું શરીર પણ મળે, સ્વર એટલે કંઠ, ક્યારેક કોયલ જેવો મધુર સ્વર મળે અને ક્યારેક ગધેડાના સ્વર જેવો દુઃસ્વર પણ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy