________________
૬૦૬ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર જન્મેલો ન હોય, તેનામાં એટલી બધી કદાચ આવડત ન હોય, હોંશિયારી ન હોય તો પણ પુણ્યોદયના પ્રતાપે રાજા-મહારાજા થાય છે.
રાજા થાય તો કેવો રાજા થઈ શકે છે? તે સમજાવે છે કે માથા ઉપરના છત્ર વડે (છત્રના પ્રકાશિત કિરણોના તેજ વડે ઢાંકી દેવાઈ છે દિશાઓ અને દિશાઓનાં આંતરાં (વિદિશાઓ) જેના વડે એવો ચક્રવર્તી અખંડ આજ્ઞાવાળો, છ ખંડનો અધિપતિ રાજા પુણ્યોદયના વિપાકથી થાય છે. તેથી તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી, ધવલ શેઠે શ્રીપાળ મહારાજાને મારી નાખવા માટે સમુદ્રમાં ફેંકી દીધા, પરંતુ શ્રીપાળ મહારાજાનો પુણ્યોદય હતો તેથી સમુદ્ર તો તર્યા, રાજકુંવરી પણ પરણ્યા અને રાજાના માનવંતા મહેમાન બન્યા, જે જોઈને ધવલશેઠ વિલખો થયો.
આ રીતે વિચારતાં પુણ્યોદયવાળા પ્રતાપી રાજા પણ પાપના ઉદયથી ઘેર ઘેર ભિક્ષા માટે ભટકે છે અને પાપના ઉદયવાળો જાતિ ચતુરાઈ વિનાનો રંક પણ પુણ્યના ઉદયથી છત્રપતિ-ચક્રવર્તી રાજા થાય છે. આવા પ્રકારનો કર્મનો વિપાકોદય છે. માટે તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. પરંતુ આ સંસારમાં મોહનીયાદિ ઘાતી કર્મોના ક્ષયોપશમથી અને ક્ષયથી પ્રાપ્ત થતાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર સ્વરૂપ શુદ્ધ એવો આત્મધર્મ મળવો અતિશય દુર્લભ છે. પુણ્યોદય અને પાપોદયથી પૌદ્ગલિક લક્ષ્મી આવે છે અને જાય છે, પરંતુ હે જીવ! તે લક્ષ્મી તારી નથી, તેથી તે આવે તો પણ શું? અને જાય તો પણ શું? તેના આવવાથી તારું કંઈ આવતું નથી અને તેના જવાથી તારું કંઈ જતું નથી. તારી હતી જ નહીં તો તેમાં હર્ષ-શોક શા માટે? આ તો ઔદયિકભાવ છે, બાધકભાવ છે, તારા સ્વરૂપનો રોધકભાવ છે. માટે તેનાથી તું વિરામ પામ.
લયોપશમભાવ અને ક્ષાયિભાવ એ તારું સ્વરૂપ છે. તે ભાવોથી મળનારી ગુણપ્રાપ્તિ અત્યન્ત દુર્લભ છે. આમ હે જીવ! તું સદા વિચાર કર. llll.
विषमा कर्मणः सृष्टिदृष्टा करभपृष्ठवत् ।। जात्यादिभूतिवैषम्यात्, का रतिस्तत्र योगिनः ॥४॥
ગાથાર્થ :- જાતિ આદિની ઉત્પત્તિની વિષમતાથી કર્મોદયજન્ય સૃષ્ટિ, ઊંટની પીઠની જેમ વિષમ છે. તેવી વિષમ સ્થિતિમાં યોગી મહાત્માને પ્રીતિ કેમ હોય ? Iો.
ટીકા :- “વિષHT T તિ” કર્મUT: સૃષ્ટિ-વના, વરમપૃષ્ઠવત્ વિષમ दृष्टा । कस्मात् ? जात्यादिभूतिवैषम्यात् - जाति:-कुलमुच्चनीचादि, संस्थान-वर्णस्वर-सम्पदादिभेदाद् महद् वैषम्यं, तस्मात् । उक्तञ्च प्रशमरतौ