SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮ ૫૩૯ शरीररूपलावण्य-ग्रामारामधनादिभिः । उत्कर्षः परपर्यायैश्चिदानन्दघनस्य कः ? ॥५॥ ગાથાર્થ - શરીર, રૂપ, લાવણ્ય, ગામ, આરામ અને ધનદોલત ઈત્યાદિ પરપર્યાય રૂપ છે (પર એવા પુદ્ગલદ્રવ્યના પર્યાય સ્વરૂપ છે). તેથી આ વસ્તુઓ વડે જ્ઞાનના આનંદના સમૂહસ્વરૂપ એવા આ આત્માને શું લાભ? અર્થાત્ કંઈ જ નહીં. //પા ટીકા - “શરીતિ” રિલાયનચ-ચિત્ જ્ઞાન”, માનઃ સુવમ્, તામ્યાં घनस्य आत्मनः परपर्यायैः-संयोगसम्भवैः पुद्गलसन्निकर्षोद्भवैः, क उत्कर्षः૩ન્મદિ ? િિત ? શરીર-મરાવીને વિનાશિવમવન, રૂપसंस्थाननिर्माणवर्णनामकर्मोद्भवम्, लावण्यं-चातुर्यं सौभाग्यनामोदयनिष्पन्नम् वेदादिमोहसन्निकर्षसम्भवम्, ग्रामः जननिवासलक्षणः, आरामा:-वनोद्यानभूमयः, धनंगणिमधरिमादि, तेषां द्वन्द्वः, तैः क उत्कर्षः ? परत्वात् कर्मबन्धनिबन्धनात् स्वस्वरूपरोधकाच्च । तत्संयोगो निन्द्य एव । तर्हि क उत्कर्षः ? उक्तञ्चोत्तराध्ययने - વિવેચન :- શરીર, રૂપ, લાવણ્ય, ગામ, આરામ અને ધનાદિ આ સઘળી વસ્તુઓ આત્માનું સ્વરૂપ નથી, આત્માથી પરદ્રવ્ય છે અર્થાતુ પુદ્ગલદ્રવ્ય છે. જેમ વાદળ સૂર્યને ઢાંકે તેમ આ સર્વે પણ પુદ્ગલદ્રવ્યો આત્મતત્ત્વથી પરપદાર્થ હોવાથી આત્માના ગુણને ઢાંકનારનિરોધ કરનાર-અટકાવનાર છે. તો જે આત્મગુણોનો અવરોધ કરે, શત્રુતુલ્ય હોય, તેને પામીને શું અહંકાર કરાય? ઉન્માદ કરાય? અર્થાત્ ન કરાય. કારણ કે તે તો વાદળની જેમ આત્મગુણના શત્રુ થયા. માટે હે જીવ આવા પ્રકારના પરદ્રવ્યોથી ઉત્કર્ષ કરવો તને કેમ શોભે? હે જીવ! તું તો ચિદાનંદઘન સ્વરૂપ છો. ચિત્ એટલે જ્ઞાન અને આનંદ એટલે સુખ, તે બન્ને ગુણો વડે ઘનીભૂત બનેલા એવા આ આત્માને પરપર્યાયોથી અર્થાત્ પરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલા એટલે કે પુદ્ગલદ્રવ્યના સનિકર્ષથી પ્રગટ થયેલા એવા શરીરાદિ પરપર્યાયો દ્વારા શો ઉત્કર્ષ ? ઉન્માદ કેમ કરાય? અર્થાત્ જેમ પારકા પૈસે અભિમાન કરાતું નથી (જો કે પોતાના પૈસાથી પણ અભિમાન કરવું સારું નથી, પણ પારકાનું જમા ધન હોય તેનાથી તો અભિમાન કરવું બીલકલ છાજે નહીં.) તેમ પરદ્રવ્યની વૃદ્ધિથી તો ઉપાધિની જ વૃદ્ધિ થાય છે. આત્મસ્વરૂપ તો ઢંકાતું જ જાય છે. માટે તેનાથી આનંદ-હર્ષઉન્માદ-અભિમાન કેમ કરાય? શું ઘરમાં શત્રુઓ આવે તેનું માન-સન્માન કરાય? ન જ કરાય.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy