SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ અનાત્મશંસાષ્ટક- ૧૮ જ્ઞાનસાર સિદ્ધપરમાત્માનું ધ્યાન કરવા સિવાય બીજા કોઈનું પણ શરણ નહીં સ્વીકારીને સિદ્ધપરમાત્માના રૂપાતીત ધ્યાનમાં એવા પ્રકારે તે યોગીપુરુષ લયલીન થઈ જાય છે કે એકાકારતા વધતાં ધ્યાતા અને ધ્યાન એમ બન્નેનો અભાવ થયે છતે ધ્યેયની સાથે એકાકારતા જે રીતે થાય તેવા ધ્યાનમાં લીન થાય છે. ll આ પ્રમાણે ધ્યાતાપુરુષનો આત્મા પરમાત્મામાં અભેદભાવે એકરસ બને, તેને પરમાત્માની સાથે એકતા થવા રૂપે “સમરસભાવ” કહેલો છે. પરમાત્માની સાથે આત્માની લીનતા તેને જ સમરસભાવ કહેવાય છે. જો તત્ત્વજ્ઞાની મહાત્મા પુરુષ લક્ષ્યના સંબંધથી અલક્ષ્યનું, સ્કૂલના સંબંધથી સૂક્ષ્મનું અને સાલંબનતાથી નિરાલંબનતાનું જલ્દી જલ્દી તત્ત્વચિંતન કરે છે. //પા. આ પ્રમાણે આત્મતત્ત્વના શુદ્ધ, નિર્મળ અને પારદ્રવ્યથી અમિશ્રિત એવા સ્વરૂપનું ધ્યાન કરનાર આત્મા પર એવા સર્વપદાર્થને “અનાત્મા” તરીકે (મારા નથી, હું તેનો નથી, તે પદાર્થો મારાથી ભિન્ન દ્રવ્યો છે આવું) જાણે છે. આવું ભેદજ્ઞાન ધરાવનારો તે આત્મજ્ઞા પુરુષ પોતાની પ્રશંસા કરતો નથી. પરપદાર્થ તરફ દૃષ્ટિપાત જ કરતો નથી તેથી પરદ્રવ્યના સંયોગજન્ય પોતાની પરિસ્થિતિની તેને પ્રશંસા કરવાની રહેતી જ નથી. આ જ વાત હવે પછીના શ્લોકમાં કહે છે - गुणैर्यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया । गुणैरेवासि पूर्णश्चेत्, कृतमात्मप्रशंसया ॥१॥ ગાથાર્થ - હે આત્મા ! જો તું ગુણોથી પરિપૂર્ણ=ભરેલો નથી તો આત્માની પ્રશંસા કરવા વડે સર્યું. અને જો તું ગુણોથી પરિપૂર્ણ ભરેલો જ છે તો પણ કંઈ મેળવવાનું બાકી ન હોવાથી) પોતાના આત્માની પ્રશંસા કરવા વડે સર્યું. બન્ને રીતે આત્મપ્રશંસા નિરર્થક છે, નિષ્ફળ છે. ટીકા - “પુરિતિ” યઃ :-વત્નજ્ઞાનામિ:, પૂ. ર સિ, ર્દિ आत्मप्रशंसया-व्यर्थात्मस्तुत्या, कृतं-नाम सृतम् । निर्गुणात्मनः का प्रशंसा ? पौद्गलिकोपाधिजा गुणा इति मूढा वदन्ति, तैर्न प्रशंसा । चेद्-यदि सम्यग्दर्शनज्ञानचारित्रतपोरूपैः साधनगुणैः, क्षायिकज्ञानदर्शनचारित्ररूपैः सिद्धगुणैः पूर्णः, तर्हि वाचिकात्मप्रशंसया कृतं-सृतमित्यर्थः । प्राग्भाविताः गुणाः स्वत एव प्रकटीभवन्ति, नेक्षुयष्टिः पलालावृता चिरकालं तिष्ठतीति का स्वमुखात्स्वगुणशंसना ? ॥१॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy