________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮
૫૩૧ છે. આવી જ્ઞાનદશા મેળવવી તે સાધક અવસ્થા છે. સાધકે આવા ભાવમાં આરૂઢ થવું જોઈએ.
ભગવતી સૂત્ર શતક ૧, ઉદેશ ત્રીજાના ૭૬ મા સૂત્રમાં કહ્યું છે કે “આ આત્મા એ જ સામાયિક છે. આ આત્મા એ જ સામાયિકનો અર્થ છે.” આત્મા એ જ સમભાવાત્મક છે. પરદ્રવ્યના યોગથી જ જે વિભાવદશા પ્રગટી છે તે આત્માનું સ્વરૂપ નથી, તેને દૂરથી જ ત્યજી દેવી જોઈએ.” આવા પ્રકારનાં અરિહંત પરમાત્માનાં વાક્યોને અનુસરવાવાળા થવું. સ્વચ્છંદમતિવાળા ન થવું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્ર નામના ગ્રંથમાં કહ્યું છે કે –
अमूर्तस्य चिदानन्द-रूपस्य परमात्मनः । निरञ्जनस्य सिद्धस्य, ध्यानं स्याद् रूपवर्जितम् ॥१॥ इत्यजत्रं स्मरन् योगी, तत्स्वरूपावलम्बनः । तन्मयत्वमवाप्नोति, ग्राह्यग्राहकवर्जितम् ॥२॥ अनन्यशरणीभूय, स तस्मिन् लीयते तथा । ध्यातृध्यानोभयाभावे, ध्येयेनैकं यथा व्रजेत् ॥३॥ सोऽयं समरसीभावस्तदेकीकरणं मतम् । आत्मा यदपृथक्त्वेन, लीयते परमात्मनि ॥४॥ अलक्ष्यं लक्ष्यसम्बन्धात्, स्थूलात्सूक्ष्मं विचिन्तयेत् । सालम्बाच्च निरालम्बं, विशुद्धं तत्त्वमञ्जसा ॥५॥
(યોગશાસ્ત્ર, પ્રાશ ૨૦, સ્નોવા -૧) इत्यात्मस्वरूपध्यानी सर्वं परमनात्मत्वेन जानाति, स आत्मविद् प्रशंसां न करोति, તવાદ -
અમૂર્ત, જ્ઞાનના આનંદસ્વરૂપ અને નિરંજન એવા સિદ્ધ પરમાત્મા સંબંધી ધ્યાન રૂપવર્જિત એટલે કે રૂપાતીત એવું ધ્યાન હોય છે. આ સ્વરૂપ ઈન્દ્રિયોથી ગમ્ય નથી. IIના
સિદ્ધપરમાત્માના સ્વરૂપનું અવલંબન લેનારા આ યોગી પુરુષ નિરંતર રૂપાતીત એવું આત્મસ્વરૂપનું સ્મરણ કરતા હતા તન્મયતાને પામે છે. ગ્રાહ્ય-ગ્રાહકભાવથી રહિત એટલે કે કોણ ધ્યાતા? અને શું ધ્યેય? એમ ધ્યેય અને ધ્યાતાભાવથી રહિત એવી તન્મયતાએકાકારતા તે મુનિ પામે છે. રા.