________________
જ્ઞાનમંજરી
નિર્ભયાષ્ટક – ૧૭
૫૧૧
(૫) શબ્દનય :– સાધનાકાલમાં વર્તતા ધ્યાનસ્થ મુનિમહાત્માઓ ભય ઉપજાવે તેવા મોહનો ક્ષય કરતા હોવાથી આંતરિક પરિણામથી નિર્ભય છે. અહીં ભાવની પ્રધાનતા છે માટે શબ્દનય જાણવો.
(૬) સમભિરૂઢનય :- કેવલી પરમાત્મા વીતરાગ હોવાથી સર્વથા મોહનો ક્ષય કર્યો છે માટે મોહજન્ય ભયરહિત છે. તથા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો પણ નાશ કર્યો છે માટે અજ્ઞાનતાજન્ય એવા ભયથી પણ રહિત છે. માટે આ આત્માઓમાં યથાર્થ નિર્ભયતા ઘટે છે. (૭) એવંભૂતનય સિદ્ધ-પરમાત્મામાં જે નિર્ભયતા છે તે જ વધારે સાચી છે. કારણ કે ત્યાં અઘાતી કર્મોના ઉદયજન્ય શરીર, રોગ, મૃત્યુ આદિના પણ ભયો નથી. એટલે કે આઠે કર્મથી રહિત છે તેથી આઠે કર્મોના ઉદયજન્ય ભયથી રહિત છે માટે એવંભૂતનય. તે સિદ્ધ-પરમાત્મામાં આઠે કર્મોના ક્ષયથી જે આઠ ગુણોનો પ્રાગ્ભાવ (આવિર્ભાવ) થયો છે તે સદાકાલ રહેનાર છે, ક્યારેય નાશ પામનાર નથી, માટે આ જ યથાર્થ નિર્ભયતા છે.
:
અહીં જે આત્માઓ યથાર્થ આત્મસ્વરૂપને જાણવાની અને પ્રાપ્ત કરવાની તમન્નાવાળા છે અને તેના જ કારણે પુણ્યકર્મ અને પાપકર્મના ઉદયથી મળેલી સાનુકૂળતા અને પ્રતિકૂળતામાં જેઓ મમતા વિનાના છે એટલે કે તેમાં જેઓ અલિપ્ત છે એવા મહાત્માઓને જ આત્મતત્ત્વ સાધવામાં નિર્ભયતા પ્રગટે છે. આવા જીવો જ નિર્ભય રહીને આત્મતત્ત્વની સાધના કરીને કેવલી થઈને શુદ્ધ-બુદ્ધ થયા છતા સિદ્ધિપદને પામે છે. માટે અમે તે નિર્ભયતાનું વ્યાખ્યાન કરીએ છીએ.
यस्य नास्ति परापेक्षा, स्वभावाद्वैतगामिनः ।
तस्य किं नु भयभ्रान्ति - क्लान्तिसन्तानतानवम् ॥१॥
ગાથાર્થ :- કેવળ સ્વભાવદશામાં જ રહેનારા એવા જે મહાત્માને પરપદાર્થની અપેક્ષા જ નથી તે મહાત્માને ભય (ત્રાસ), ભ્રાન્તિ (ભ્રમ) અને ફ્લાન્તિ (ખેદ)ની પરંપરાનો વિસ્તાર શું હોય ? અર્થાત્ ન હોય. ॥૧॥
ટીકા :- ‘યસ્ય નાસ્તીતિ'-યસ્ય પાપેક્ષા-પરાશ્રયતા-પરાધીનતા-પરાશા વા नास्ति, तस्य स्वभावाद्वैतगामिनः - स्वभावस्य यद् अद्वैतमेकत्वं स्वभावाद्वैतं, तत्र ગમનશીલસ્યમય:-ત્રાસ:, ભ્રાન્તિ:-ભ્રમ:, તાન્તિ:-àવ:, તસ્ય તાનવં વિસ્તાર: किं नु भवति ? काक्वर्थः । इत्यनेन परवस्तुसंरक्षणे पराशादिना भयं भवति । यः પરભાવનિ:સ્પૃહસ્તસ્ય પરમાવામાવે મયણેવો ( મયભ્રમણેવાઃ) ત: ? નૈવેતિ ॥