SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ માધ્યસ્થાષ્ટક - ૧૬ જ્ઞાનસાર पुनःकेषु ? अपुनर्बन्धकादिषु, अपुनर्बन्धकस्वरूपं श्रीहरिभद्रसूरिवचनाद् ज्ञेयम्, आदिशब्दात् मार्गाभिमुख मार्गपतित-मार्गानुसार्यविरतसम्यग्दृष्टि-देशविरतसर्वविरतादिषु सर्वत्र परभावरागद्वेषविनिर्मुक्तात्मस्वभावानुकूलता एव साधनम् । उक्तञ्च योगशास्त्रे ૫૧૦ आत्मैव दर्शनज्ञान - चारित्राण्यथवा यतेः । યત્તાત્મજ વૈષ શરીરતિતિ ૪ાશા (યોગશાસ્ત્ર) आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद्यदात्मनः । તદેવ તસ્ય ચારિત્ર, તજ્ઞાનું તત્ત્વ વર્શનમ્ ॥૪ારા (યોગશાસ્ત્ર) आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते । તપસાવ્યાત્મવિજ્ઞાન-દ્દીનૈશ્છતું ન શવતે જરૂ॥ (યોગશાસ્ત્ર) सोऽयं समरसीभावस्तदेकीकरणं मतम् । આત્મા યપૃથવત્ત્વન, ભીયતે પરમાત્મનિ ॥૪॥ (યોગશાસ્ત્ર) કયા આત્માઓએ માધ્યસ્થ્યવૃત્તિ પ્રાપ્ત કરવી જોઈએ. તો કહે છે કે અપુનર્બન્ધકાદિ જીવોએ શક્ય બને તેટલી માધ્યસ્થ્યવૃત્તિ રાખવા જેવી છે. અપુનર્બન્ધક જીવથી પ્રારંભીને યોગદશાની શરૂઆત થાય છે. કંઈક અંશે યોગદશા આ ભૂમિકાથી આવે છે. માટે અપુનર્બન્ધકનો ઉલ્લેખ કર્યો છે. અપુનર્બન્ધક જીવો તથા આદિ શબ્દથી માર્ગાભિમુખ જીવો, માર્ગપતિત (માર્ગ પામેલા) જીવો, માર્ગાનુસારિ (માર્ગે ચાલનારા) જીવો, અવિરત સમ્યગ્દષ્ટિ જીવો, દેશિવરતિધર જીવો અને સર્વવિરતિધર જીવો ઈત્યાદિ સ્થાનોમાં સર્વ ઠેકાણે પરભાવનો ત્યાગ, રાગ-દ્વેષવાળી મનોવૃત્તિનો ત્યાગ અને આત્મસ્વભાવને અનુકૂલ ચિંતન-મનન-ભાષણવર્તન આ જ આત્મકલ્યાણનું સાધન છે. અપુનર્બન્ધકનું સ્વરૂપ શ્રી હરિભદ્રસૂરિજી કૃત પંચાશક ત્રીજાની ચોથી ગાથાથી જાણવું તથા યોગશતક ગાથા-૧૩ થી જાણવું. જે પાપ કરતાં તીવ્ર ભાવ ન રાખે, ભવને ઘણું માન ન આપે અને ઉચિત સ્થિતિને જે આચરે તે અપુનર્બન્ધક આત્મા જાણવો. (યોગશતક ગાથા-૧૩) સર્વે પણ આરાધક આત્માએ પરભાવનો ત્યાગ, રાગ-દ્વેષનો ત્યાગ, માધ્યસ્થ્યવૃત્તિનો સ્વીકાર અને આત્મસ્વભાવને અનુકૂળ પ્રવર્તનાદિ પ્રાપ્ત કરવાં જોઈએ.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy