________________
જ્ઞાનમંજરી
પૂર્ણાષ્ટક - ૧ પોતાના આત્મા સિવાયના સર્વે આત્માઓ (કુટુંબનાં સર્વે પાત્રો, સ્નેહીઓ અને મિત્રાદિ સર્વે જીવો) તથા સર્વે પણ પુદ્ગલદ્રવ્યો એ આ વિવક્ષિત જીવને પરદ્રવ્ય અર્થાત્ પરવસ્તુ કહેવાય છે. તે પાત્રોનો અને ધનાદિ પુદ્ગલદ્રવ્યોનો પુણ્યોદયથી સંગ થાય છે. પરંતુ આ જીવ પૂર્વબદ્ધ મોહનીય કર્મના ઉદયથી તે દ્રવ્યોની સાથે રાગાદિ ભાવો દ્વારા અંગાંગીભાવને પામે છે (મારાપણાની મમતાથી જોડાય છે.) આમ આ જીવ વિભાવદશામાં પરિણામ પામે છે. સ્વસ્થ માવા-સ્વ મારાપણું-હુંપણું-મમતા જે થાય છે તેને “વૃત્વ” કહેવાય છે.
પર એવાં જીવદ્રવ્યો અને પુદ્ગલદ્રવ્યોનો પુણ્યોદયથી સંગ થયે છતે તેની સાથે થયેલો જે અંગાંગીભાવ (એકમેકતા-તલ્લીનતા), તેનાથી વિભાવપરિણતિ ઉત્પન્ન થયે છતે તે પરદ્રવ્યમાં મારાપણાની જે બુદ્ધિ થાય છે તેને “પરે સ્વત્વમ્' = પરસ્વત્વ, પરસ્વત્વ કહેવાય છે. ધન-ધાન્ય-ઘર-હાટ-કુટુંબપરિવાર-સ્નેહીઓ અને મિત્રો ઈત્યાદિ પરપદાર્થોની પ્રાપ્તિ થયે છતે તેને મારું મારું માનીને તેના દ્વારા થયો છે ઉન્માદ એટલે આકુળ-વ્યાકુલતા જેને એવા જે ભોગી જીવો છે તે પરદ્રવ્યોની પ્રાપ્તિ વડે અભિમાની બનેલા પોતાની જાતને સુખી સુખી માનનારા, દુનિયાને દબાવનારા આવા જીવો રાજા બન્યા હોય તો પણ પોતાનામાં ન્યૂનતાને જ જોનારા છે. હજુ મારે આ નથી, હજુ મારે પેલું નથી એમ નથી નથી અને નથીને જ જોનારા પ્રતિદિન અધિક અધિક મેળવવા માટે અઢારે પાપસ્થાનક સેવનારા હોય છે જે મળ્યું છે તેનો સંતોષ હોતો નથી, પરંતુ જે નથી મળ્યું તેનો અસંતોષ અને ઉગ જ ઘણો હોય છે. અને આકુલ-વ્યાકુલતા તથા તે મેળવવાની લાલસા જ ઘણી હોય છે. તેથી જ લખપતિ જીવ કરોડપતિથી પોતાનામાં ન્યૂનતા દેખે છે. કરોડપતિ જીવ અબજોપતિથી પોતાનામાં ન્યૂનતા દેખે છે. રાજાદિ ચક્રવર્તી કરતાં પોતાનામાં ન્યૂનતા દેખે છે. આમ આ જીવો પરદ્રવ્યને મેળવવામાં જ આકુળ-વ્યાકુલ થયા છતા પોતાનું સમસ્ત જીવન માનસિક દુઃખમય પસાર કરે છે અને બીજાનું અધિક ધન-સુખ આદિ જોઈને સદા બળ્યા જ કરે છે. ઈર્ષાની આગથી બળતા જ રહે છે. ઈર્ષ્યા, અદેખાઈ, ચિંતા અને અસંતોષ આદિથી દુઃખી જ દુઃખી રહે છે.
કારણ કે પરદ્રવ્યને પોતાની સંપત્તિ માનીને તેમાં જ રક્ત બનેલા પુલાનંદી-ભોગી જીવોને ચિંતામણિરત્ન તુલ્ય અપાર કરોડો વસ્તુઓની પ્રાપ્તિ થાય, છતાં પણ તૃપ્તિ થતી નથી (સંતોષ થતો નથી). મોહાધીન જીવમાં રહેલી તૃષ્ણા ઈન્દ્રનથી આગ વધે તેમ “નાદે નોદ પવફા” આવી શાસ્ત્રોક્ત નીતિ પ્રમાણે અનંતગુણી વધે છે. તેથી સદાકાલ અપૂર્ણ જ રહે છે. માટે પોતાને પોતાની લક્ષ્મીની ન્યૂનતા જ દેખાય છે. આ સંસારમાં સર્વે જીવોને લક્ષ્મી બીજાની જ વધારે દેખાય છે અને સરસ્વતી પોતાની જ વધારે દેખાય છે” આ જ