________________
પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર ભાવાર્થ આ પ્રમાણે છે - આત્માને પોતાના સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવ થવાથી તેના અનુભવ દ્વારા ઉત્પન્ન થયેલો જે પરમ આનંદ છે તે આનંદ આ સંસારમાં અનાદિકાળથી મોહાત્મક પ્રવૃત્તિમાં પ્રવર્તેલા અને પુદ્ગલસુખમાં જ આનંદને ભોગવનારા એવા સંસારી જીવમાં આશ્ચર્ય કરનારો છે. કારણ કે આવા પ્રકારના સંસારી જીવે મોહાત્મક પુદ્ગલસુખને જ સુખ માન્યું છે. આત્માના ગુણોની રમણતાનું સુખ જોયું નથી, માણ્યું નથી. તેથી તે જીવને આ વાત સાંભળીને આશ્ચર્ય થાય છે. પરંતુ શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપથી પૂર્ણ બનેલા મહાત્માઓને તો આ જ વાસ્તવિક પોતાનું સ્વરૂપ હોવાથી અલ્પ પણ આશ્ચર્ય થતું નથી. ઉલટું આત્મામાં પોતાના અનંત ગુણોને અનુભવવા સ્વરૂપ સ્વાધીન અને નિરુપાધિક સુખ હોવા છતાં સંસારી જીવો પરાધીન, દુઃખદાયી, સોપાયિક અને અનંત જન્મ-મરણની પરંપરા વધારનારા એવા પદ્ગલિક સુખમાં જે મગ્ન છે તે જોઈને તેઓને આશ્ચર્ય થાય છે. અને ભૂલા પડેલા સંસારી જીવો ઉપર ભાવકરુણા ઉપજે છે.
આ કારણથી જ આત્માના ગુણોના આવિર્ભાવરૂપ પૂર્ણાનંદનું મુક્ત અવસ્થામાં જે સુખ છે તેના સાધનભૂત એવા નિર્મળ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર સ્વરૂપ અનંત સુખદાયી એવી રત્નત્રયીની સાધનામાં જ સાધક જીવે પ્રયત્ન કરવો ઉચિત છે. આ સાધનામાં જ માનવજીવનની સાચી સાર્થકતા છે. (૬)
परस्वत्वकृतोन्माथा, भूनाथा न्यूनतेक्षिणः । स्वस्वत्वसुखपूर्णस्य, न्यूनता न हरेरपि ॥७॥
ગાથાર્થ -પરદ્રવ્યમાં પોતાનાપણું માનવાથી ઉન્માદવાળા બનેલા રાજાઓ પણ સદા પોતાનામાં ન્યૂનતા જ જોનારા હોય છે અને પોતાના આત્મગુણોમાં જ પોતાનાપણું માનવાથી અનંત સુખથી પૂર્ણ ભરેલા એવા મુનિને પોતાનામાં ઈન્દ્રથી પણ ન્યૂનતા જણાતી નથી. (અર્થાત્ ઈન્દ્ર કરતાં પણ અધિક સુખ દેખાય છે.) Iછા
ટીકા - પરસ્વત્વેતિ-પજે-પ૨વસ્તુનિ હિમવનવિભાવપરિત સ્વસ્થ ભાવ: स्वत्वम्, परस्मिन् स्वत्वं परस्वत्वम्, तेन कृत उन्माथ उन्मादः-व्याकुलत्वं येषां ते परस्वत्वकृतोन्माथाः, एवम्भूता भूनाथा:-पृथ्वीशा अपि न्यूनतेक्षिणः-न्यूनतादर्शनशीलाः, यतः परसम्पद्रक्तानां चिन्तामण्यनन्तकोटिप्राप्तावपि न तृप्तिः, तृष्णाया अनन्तगुणत्वात् सदैवापूर्णत्वात् न्यूनतामेव पश्यन्ति, तृष्णाया विभावत्वात् परित्यागे (ાવ) મુરબ્રમ્ |