________________
૩૧૨
તૃષ્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર જાણવાને અને પ્રાપ્ત કરવાને માટે અશક્ય એવા પરમબ્રહ્મમાં, તથા ગોરસ એટલે વાણીના વિષયથી બાહ્ય, જેનું સ્વરૂપ વાણી દ્વારા સમજી-સમજાવી શકાય તેવું નથી. વાચાથી અગોચર એવા પરમબ્રહ્મમાં જે તૃપ્તિ થાય છે. તે તૃપ્તિ સંસારભોગના અભિલાષી જીવો વડે જાણી પણ શકાતી નથી તો પ્રાપ્ત કેમ કરી શકાય તથા કેમ અનુભવી શકાય ? આ કારણથી આત્મગુણોની રમણતાની જે તૃપ્તિ છે તે તૃપ્તિ હજારો-લાખો પુદ્ગલના ઉપચારો વડે (પૌદ્ગલિક સુખો વડે) પણ થઈ શકતી નથી. તેની સાથે માપી શકાતી નથી.
અહીં પરમબ્રહ્મનું (શુદ્ધ આત્માનું સ્વરૂપ) જે વાણીથી અગોચર કીધું છે તે બાબતમાં વેદના પાઠની સાક્ષી આપી છે કે વેદમાં (ઉપનિષદમાં) કહ્યું છે કે શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે ? તો કહે છે કે “મનની સાથે વાણીથી પણ અપ્રાપ્ય છે” અર્થાત્ શુદ્ધ આત્મા મનથી પણ નથી જાણી શકાતો અને વાણીથી પણ નથી જાણી શકાતો, તેનું શુદ્ધસ્વરૂપ કોઈ અલૌકિક જ છે. સામાન્ય લોકથી ગમ્ય નથી. તથા આચારાંગસૂત્રમાં પણ લખ્યું છે કે ‘‘અપવસ્ત્ર પયં નસ્થિ ?'' પદરહિત-ભાષારહિત એટલે કે વાણીથી અવાચ્ય અર્થાત્ સર્વકર્મના ક્ષયથી મુક્તિમાં ગયેલ શુદ્ધ આત્માના સ્વરૂપને સમજવા-સમજાવવા માટે કોઈ પણ પ્રકારનાં પદોશબ્દો-વાણી સંભવતી નથી. અર્થાત્ વાણીથી અગોચર એવું શુદ્ધ આત્માનું સ્વરૂપ છે. જે માણે તે જ જાણે. આ રીતે પૌલિક સુખોના રસિક જીવો વડે અગ્રાહ્ય અને વાણીથી બાહ્ય-અગોચર એવા પરમબ્રહ્મસ્વરૂપમાં જે તૃપ્તિ છે તે સામાન્ય લોકો (પુદ્ગલરસિક જીવો) જાણતા પણ નથી તો અનુભવ થવાની વાત તો સંભવે જ ક્યાંથી ? આવી પરમતૃપ્તિ છે. દા
=
विषयोर्मिविषोद्गारः स्यादतृप्तस्य पुद्गलैः । ज्ञानतृप्तस्य तु ध्यानसुधोद्गारपरम्परा ॥७॥
ગાથાર્થ :- પુદ્ગલના સુખો વડે અતૃપ્ત એવા જીવને પાંચ ઈન્દ્રિયોના વિષયોના કલ્લોલો રૂપી વિષના જ ઓડકાર હોય છે. પરંતુ જ્ઞાનમાં તૃપ્ત આત્માને ધ્યાન રૂપી અમૃતના ઓડકારની જ પરંપરા હોય છે. III
ટીકા :- “વિષયોર્મિ' કૃતિ-અતૃપ્તસ્ય-સ્વરૂપાસ્વાવરહિતસ્ય પુર્વાણૈ: अङ्गरागाङ्गनालिङ्गनादिकैः विषयोर्मिविषोद्गारः स्यात् - भवेत्, विषयः इन्द्रियविलासः स एव विषयोद्गारः प्रकाशः स्यात् । उक्तञ्च -
जह जह पुग्गलभोगो, तह तह वड्डइ विसयं पिसाई । इंदियसुहा दुहा खलु, अगिज्झा तओ विरत्ताणं ॥१॥