SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી તૃષ્યષ્ટક - ૧૦ ૩૧૧ (શાકાદિ ભાવો)વાળા ચક્રવર્તીના ભોજન તુલ્ય ભોજનમાં તથા ગોરસ (દહીં-દૂધ) આદિ શક્તિવર્ધક પદાર્થોથી (અબાહ્ય એટલે) યુક્ત એવા ચક્રવર્તીના ભોજનતુલ્ય ભોજનમાં પણ તે તૃપ્તિ થતી નથી. ચક્રવર્તીતુલ્ય વિશિષ્ટ ભોજનમાં પણ તે તૃપ્તિ થતી (આનંદ થતો) નથી કે જે સ્વભાવ દશાના અનુભવમાં તૃપ્તિ (આનંદ) થાય છે. આ અર્થ પૂ. રમ્યરેણુ સંપાદિત પુસ્તકમાં લખાયેલાં ટીકાનાં પદોના અનુસારે કરેલ છે તે પુસ્તકમાં ‘તñà” અને અવાūયુક્તે આવાં પદો છે. માટે ઉપરોક્ત અર્થ કરેલ છે. કેટલીક પ્રતોમાં તૈધ્રો અને વાઘે યુક્તે આવાં પદો છે. તેથી આવાં પદો જ્યારે લઈએ ત્યારે એ પદોનો અર્થ આવા પ્રકારનો થઈ શકે છે કે મનોહર ઘી વાળા અને ઘણાં વ્યંજનો (શાકો) વાળા ભોજનથી પણ અગ્રાહ્ય તથા દહીં-દૂધાદિ ગોરસના ભોજનથી પણ બાહ્ય = ન જાણી શકાય એવા પરમબ્રહ્મમાં જે તૃપ્તિ (આનંદ) છે તે તૃપ્તિ આવા પ્રકારના (ચક્રવર્તીતુલ્ય) ભોજનમાં પણ થતી નથી. બન્ને પુસ્તકોમાં છપાયેલાં પદોનો ભાવાર્થ એક જ છે કે પરમ આત્મદશાના અનુભવમાં જે આનંદ છે તે આવા ભોજનથી ન માપી શકાય તેવો છે. (જુદા જુદા પાઠો હોવાથી અત્યન્ત શુદ્ધ પાઠ કયો ? તે જાણવું અમારા માટે અતિશય દુષ્કર છે. માટે અમે બન્ને પાઠોના અર્થો સંગત કરવા પ્રયત્ન કર્યો છે.) અથવા મધુરાન્ચમહાશાળાપ્રાદે વાઘે = ગોરમાત્ આ પદનો બીજો અર્થ પણ થાય છે તે ટીકાકારશ્રી પોતે જ સ્પષ્ટ કરે છે કે - अथवा कथम्भूते ब्रह्मणि ? मधुराज्यमहाशाकाग्राह्ये-मधु-मिष्टं राज्यम्, तत्र महती आशा - इच्छा येषां ते मधुराज्यमहाशाकाः तैः परिग्रहैश्वर्याभिलाषुकैः अग्राह्ये ग्रहीतुमशक्ये, गोरसात् - वाग्रसात् बाह्ये वाचामगोचरे " अप्राप्य मनसा सह" इति વેવોક્તત્વાત્ ‘‘અપવસ્ત્ર પયં નસ્થિ' નૃત્યાત્રાાવનાત્ (આચારાંગધ્રુત-૧, અધ્યયન૫, ઉદ્દેશો-૬, સૂત્ર-૧૭૦) । ëવિધ પરબ્રહ્મળિ-પરમાત્મનિ યા તૃપ્તિ: મા લોન ज्ञायते एव, अत: पुद्गलोपचारसहस्त्रैः सा तृप्तिर्न भवति ॥६॥ અથવા શબ્દ લખીને ટીકાકારશ્રી આ બન્ને પદોને ભોજનનાં વિશેષણ ન બનાવતાં પરાપ્તિ શબ્દનાં વિશેષણ બનાવે છે. મનોહર રાજ્ય (આદિ સાંસારિક સુખો) માં જ વર્તે છે મોટી મોટી આશાઓ જેને એવા જે જીવો એટલે કે પરિગ્રહ અને ભૌતિક ઐશ્વર્યની જ ઘણી મોટી અભિલાષાવાળા અર્થાત્ સંસારરસિક એવા પુદ્ગલાનંદી જીવો વડે અગ્રાહ્ય ૧. પૂ. રમ્યરેણુ સંપાદિત પુસ્તકમાં મૂલશ્લોકમાં શાજાપ્રાો છે અને ટીકામાં તેોિ પુન: છે. માટે કંઈક અશુદ્ધિ હોય એમ લાગે છે. તૈગ્રાો હોવું જોઈએ.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy