________________
૩૧૦ તૃપ્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર ટીકા :- “મધુરાતિ” યા પરબ્રહળ-શુદ્ધાત્માન-સમૂર્તાનન્તજ્ઞાનયને, તૃપ્તિઃ स्वरूपा, शमताऽऽलिङ्गनानन्दचिद्विलासरूपा, जनाः-तत्त्वावलोकननयनविकलाः, तां शुद्धात्यन्तैकान्ताध्यात्मस्वभावानुभवरूपां तृप्तिं जानतेऽपि न,-नैव जानते इति (सा) ज्ञानग्रहणेऽपि नास्ति । अतः कुतोऽनुभवः ? या तृप्तिः मधुराज्यमहाशाकाग्राह्ये पुनः गोरसात् अबाह्ये भोजने न, मधुरं-आज्यं-मधुराज्यम्, महान्तः शाकाः-व्यञ्जनानि, तैाह्ये पुनः गोरसं-दध्यादि तस्माद् अबाह्ये युक्ते एवंविधे भोजने सा तृप्तिः न ।
કોઈ કોઈ પ્રતોમાં આવો પાઠ પણ છે - મધુરં ચં-મૃતં મધુર,ચં, મન્તઃ शाकाः व्यञ्जनानि तैरग्राह्ये पुनः गोरसं दध्यादि, तस्माद् बाह्ये, युक्ते एवंविधे મોગને સી તૃપ્તિઃ
વિવેચન :- શુદ્ધ આત્મદશામાં સ્વરૂપનો અનુભવ કરવા સ્વરૂપ જે તૃપ્તિ છે તેને સામાન્ય લોકો જાણતા પણ નથી તો પછી તેનો અનુભવ તો હોય જ ક્યાંથી? સ્વભાવદશાના આનંદને અનુભવવા સ્વરૂપ જે વાસ્તવિક તૃપ્તિ છે તે અલૌકિક-લોકોત્તર તૃપ્તિ છે. તે તૃપ્તિને સાંસારિક ભોગસુખોથી સરખાવી ન શકાય તેવી છે. કારણ કે ભોગસુખો ક્ષણિક છે, નાશવંત છે, પરાધીન છે. પ્રાપ્તિમાં ઘણાં કષ્ટો આપનારાં છે. સંરક્ષણમાં ચિંતાજનક છે અને છતાં વિયોગકાલે દુઃખદાયી છે. સ્વરૂપદશાનો આનંદ અનંતકાળ સ્થાયિ છે, સ્વાધીન છે. ક્યારેય પણ તેનું સંરક્ષણ કરવું પડતું નથી તથા ક્યારેય પણ તેનો વિયોગ થતો નથી. માટે સ્વભાવ-સુખની તૃપ્તિ ભોગસુખોની તૃપ્તિ સાથે સરખાવી શકાય તેવી નથી. આ વાત આ શ્લોકમાં સમજાવે છે.
અમૂર્ત અને અનંત જ્ઞાનના સમૂહાત્મક એવા શુદ્ધ આત્મતત્ત્વ રૂપ પરમબ્રહ્માત્મામાં જે સ્વરૂપ-સ્વરૂપાત્મક અર્થાત્ શમભાવદશાના આલિંગનાત્મક જે શુદ્ધ આનંદ તથા જ્ઞાનના વિલાસરૂપ (અનુભવરૂપ) જે તૃપ્તિ (વાસ્તવિક પરમ આનંદ) છે. તેને આત્મતત્ત્વને જાણવા રૂપી દિવ્ય નેત્ર વિનાના સામાન્ય જીવો જાણતા પણ નથી. જે તૃપ્તિ શુદ્ધ, અત્યન્ત અને એકાન્તિક એવા પ્રકારના આત્મસ્વરૂપનો અનુભવ કરવા સ્વરૂપ છે. આવી તૃપ્તિને તત્ત્વજ્ઞાન વિનાના સામાન્ય જીવો શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવા છતાં પણ જાણી સમજી શકતા નથી, તો પછી તેવા પ્રકારની તૃપ્તિનો અનુભવ તો આવે જ ક્યાંથી ? આવા પ્રકારની આ અલૌકિક (લોકોત્તર-સામાન્ય લોકોથી અભોગ્ય) તૃપ્તિ છે.
સ્વભાવદશાના આનંદરૂપી આ તૃપ્તિને બે વિશેષણોથી સમજાવે છે કે – સ્વભાવદશાના આનંદના અનુભવ રૂપી જે આ સાચી તૃપ્તિ છે તે મનોહર ઘી વાળા અને ઘણાં વ્યંજનો