________________
૨૯૬ તૃઢષ્ટક - ૧૦
જ્ઞાનસાર જ તે જીવ પૂરતી હિંસા ગણાય. આમ જીવે જીવે હિંસા ભિન્ન ભિન્ન ગણાય, શબ્દાદિ ત્રણ નયોથી કોઈ જીવ મરે યા ન મરે પણ જીવનો પરિણામ જો શિકારીની જેમ (મારવાનો) હિંસક હોય તો કોઈ જીવ ન મરે તો પણ તે હિંસાના પરિણામવાળો આત્મા જ હિંસક ગણાય. આમ અહિંસામાં પણ સમજવું.
આ ઓઘનિર્યુક્તિના પાઠને અનુસાર પ્રથમના ચાર નયો સ્થૂલ હોવાથી પરદ્રવ્યની પ્રાપ્તિથી તૃપ્તિ માનનારા છે અને પાછલા ત્રણ નયો આત્મદ્રવ્યના ગુણોની પ્રાપ્તિથી તૃપ્તિ માનનારા છે એમ જાણવું. પ્રથમના ચાર નયો કારણને મહત્ત્વ આપનારા છે. પાછલા ત્રણ નયો કાર્યને મહત્ત્વ આપનારા છે તેથી જ નામતૃપ્તિ-સ્થાપનાતૃપ્તિ અને દ્રવ્યતૃપ્તિ આ ત્રણ તૃપ્તિ એ ભાવતૃપ્તિનું કારણ હોવાથી નામાદિ ત્રણ નિક્ષેપાજચ તૃપ્તિને પ્રથમના ચાર નિયો તૃપ્તિ માને છે અને ભાવનિક્ષેપાવાળી જે વાસ્તવિક તૃપ્તિ છે. તેને જ તૃપ્તિ કહેવાય એમ શબ્દાદિ પાછલા ત્રણ નયો કહે છે. પરમાર્થથી ભાવતૃપ્તિ જ ગ્રાહ્ય છે.
જ્યારે જ્યારે સાધનાકાલ હોય છે. સાધકાવસ્થા હોય છે ત્યારે ત્યારે કારણકાલ હોવાથી નૈગમાદિ ચાર નયને માન્ય એવી નામાદિ નિક્ષેપાવાળી તૃપ્તિ ગ્રાહ્ય કહેવાય છે તેને જ અપવાદથી ઉત્પન્ન થયેલી તૃપ્તિ કહેવાય છે. કારણ કે જ્યાં સુધી સાધનાકાલ ચાલે છે ત્યાં સુધી જ તે ગ્રાહ્ય છે. અંતે ત્યાજ્ય છે તે તૃપ્તિને સદાકાલ રાખવાની નથી. ટેકા સ્વરૂપ માત્ર છે. માટે અપવાદોભવી કહેવાય છે અને સિદ્ધાવસ્થામાં પોતાના ગુણોની જે તૃપ્તિ પ્રગટ થાય છે તે સ્વાભાવિક હોવાથી, સદાકાળ રહેનારી હોવાથી, આત્માના ગુણો સંબંધી હોવાથી ઉત્સર્ગથી ઉત્પન્ન થયેલી અર્થાત્ રાજમાર્ગ રૂપે આદરણીય તૃપ્તિ કહેવાય છે. આ તૃપ્તિ કાર્યરૂપે છે. માટે ઉત્સર્ગ ઉદ્ભવા કહેવાય છે. પરમાર્થથી તો સ્વગુણસંબંધી આ તૃપ્તિ જ આદરણીય છે. હવે તે તૃપ્તિને જ સમજાવે છે. –
पीत्वा ज्ञानामृतं भुक्त्वा, क्रियासुरलताफलम् । साम्यताम्बूलमास्वाद्य, तृप्तिं याति परां मुनिः ॥१॥
ગાથાર્થ :- જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને અને ક્રિયારૂપી કલ્પવૃક્ષના ફળોનું ભોજન કરીને સમતાભાવ રૂપી તાંબુલનો આસ્વાદ કરીને મુનિ પરમ તૃપ્તિને પામે છે. /૧/
ટીકા :- “પત્ની જ્ઞાનામૃતતિ", મુનિ સવાભાવી સ્વાત્મવત્નોનસ્ત્રી, परां-उत्कृष्टां लौकिककुप्रावचनिकेतराम्, तृप्ति-संतोषावस्थाम्, याति-प्राप्नोति लभते इत्यर्थः । किं कृत्वा ? ज्ञानामृतं-ज्ञानं यथार्थस्वपरपदार्थस्वरूपावभासनरूपं तदेवामृतं