SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ક્રિયાષ્ટક - ૯ જ્ઞાનસાર આવા પ્રકારની ક્રિયા વિનાનું કેવલ એકલું શાસ્ત્રીય જ્ઞાનમાત્ર અર્થાત્ શાસ્ત્રોના અર્થોનું સંવેદન (અનુભવ) થવા રૂપ જ્ઞાનમાત્ર અનર્થક છે. અનર્થક એટલે કે શુભયોગ હોવાથી પુણ્ય બંધ કરાવવા દ્વારા સ્વર્ગસુખ આપનાર કદાચ બને, પણ મુક્તિ રૂપ જે કાર્ય સાધવું છે તેનું સાધક બનતું નથી. મુક્તિ આપનાર બનતું નથી. આ બાબતમાં ગ્રંથકારશ્રી સુંદર દષ્ટાન્ત કહે છે કે - પથજ્ઞ એવો પુરુષ અર્થાત્ એક ગામથી બીજે ગામ જવાનો રસ્તો બરાબર જાણનારો પુરુષ પણ ગતિક્રિયા કર્યા વિના-ગમનાગમન કરવા રૂપ ચરણની ક્રિયા કર્યા વિના ઈષ્ટનગરની પ્રાપ્તિ કરી શકતો નથી, ભોજનના જ્ઞાનવાળો પુરુષ પણ ભોજનની ક્રિયા કર્યા વિના સુધાશાન્તિ કરી શકતો નથી, ધંધાનો જાણકાર પુરુષ પણ ધંધાની ક્રિયા કર્યા વિના ધનપ્રાપ્તિ કરી શકતો નથી. ઈત્યાદિ અનેક ઉદાહરણ અહીં જાણવાં. માટે જ મહર્ષિ પુરુષોએ “જ્ઞાન અને ચારિત્ર એમ બને ગુણો વડે મોક્ષ થાય” એમ કહેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૧મા અધ્યયનની ૨૩ મી ગાથામાં કહ્યું છે કે – “સમ્યજ્ઞાનાત્મક એવું જે જ્ઞાન છે તેનાથી યુક્ત એવા મહર્ષિ પુરુષનો આત્મા અનુપમ એવા ધર્મસંચયને કરીને અનુપમ એવા જ્ઞાનને (કેવલજ્ઞાનને) ધારણ કરનારા બન્યા છતા (અર્થાત કેવલી થઈને) જે ધર્મદેશના કરનારા બને છે તે આકાશની અંદર પ્રકાશમાન થતા એવા સૂર્યની જેમ ચમકે છે, શોભે છે.” મેરા પુનરૂદેવ દ્રઢયનાદ - વળી તે જ વાત અતિશય દેઢ કરતાં કહે છે - स्वानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते । प्रदीपः स्वप्रकाशोऽपि, तैलपूर्त्यादिकं यथा ॥३॥ ગાથાર્થ - જ્ઞાનથી પરિપૂર્ણ આત્મા પણ અવસરે અવસરે પોતાને અનુકૂલ (સાધ્યને સાધી આપે તેવી) ક્રિયાની અપેક્ષા રાખે છે. જેમ પ્રદીપ પોતે સ્વયં પ્રકાશમાન હોવા છતાં પણ તેલની પૂર્તિ આદિ ક્રિયાની અપેક્ષા અવશ્ય રાખે જ છે. I ટીકા :- “સ્વાનુમતિ” જ્ઞાનપૂufપ વાવિવેચનવિશિષ્ટોષિ, ને अवसरे कार्यसाधनक्षणे स्वानुकूलां-तत्कार्यकरणरूपां क्रियामपेक्षते, तत्त्वज्ञानी सम्यग्ज्ञानी प्रथमं संवरकार्यरुचिः देशविरतिसर्वविरतिग्रहणरूपां क्रियामाश्रयति । पुनः चारित्रयुक्तोऽपि तत्त्वज्ञानी केवलज्ञानकार्यनिष्पादनरसिकः शुक्लध्यानारोहरूपां
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy