________________
જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯
૨૬૫ આદિનું પાલન, તથા વિનય, વૈયાવચ્ચ વગેરે સમ્યગુઆરાધના રૂપ ક્રિયા કરવા દ્વારા આ જ સંસારનો વિનાશ થાય છે. આ કારણથી આ સંસારનો (જન્મ-જરા-મૃત્યુ આદિ રૂપ સંસારનો) ક્ષય કરવા માટે સંવર અને નિર્જરા રૂપ આત્મતત્ત્વસાધક ક્રિયા કરવી જોઈએ. તેમાં નામાદિ ચાર નિક્ષેપા અને નૈગમાદિ સાત નયો સમજાવાય છે.
नामस्थापना (क्रिया) सुगमा, द्रव्यक्रिया शुद्धा अशुद्धा च । तत्र शुद्धा स्वरूपानुयायियोगप्रवृत्तिरूपा । अशुद्धा कायिक्यादिव्यापाररूपा, भावक्रियावीर्यप्रवृत्तिरूपा, पुद्गलानुयायि-औदारिकादिकायव्यापारसन्मुखा अशुद्धा । शुद्धा पुनः स्वगुणस्वपरिणमनत्वनिमित्तवीर्यव्यापाररूपा क्रिया भावक्रिया ।
નામ અને સ્થાપના ક્રિયા સુગમ છે. કોઈ જીવ અથવા અજીવ પદાર્થનું “ક્રિયા” એવું નામ પાડવું તે નામક્રિયા અને ક્રિયાવાળી વ્યક્તિનું ચિત્ર દોરવું તે સ્થાપનાક્રિયા. દ્રવ્યક્રિયા બે પ્રકારની છે એક શુદ્ધ અને બીજી અશુદ્ધ.
આત્મતત્ત્વનું સ્વરૂપ પ્રગટ થાય એ રીતે સ્વરૂપને અભિમુખપણે “મન-વચન-કાયાની યોગાત્મક જે પ્રવૃત્તિ” તે શુદ્ધ દ્રક્રિયા કહેવાય છે. ત્યાં સ્વરૂપ પ્રગટ કરવાનું લક્ષ્ય છે માટે શુદ્ધ અને યોગાત્મક પ્રવૃત્તિ છે માટે દ્રવ્ય. કર્મનો બંધ થાય તેવી કાયિકી આદિ પચ્ચીસ ક્રિયા કરવા રૂપ આશ્રયાત્મક જે ક્રિયા તે અશુદ્ધ દ્રવ્યક્રિયા, કારણ કે તે ક્રિયાઓમાં આશ્રવ છે, કર્મનો બંધ થાય છે માટે અશુદ્ધ અને યોગાત્મક પ્રવૃત્તિ છે માટે દ્રવ્યક્રિયા કહેવાય છે.
ભાવક્રિયા એટલે વીર્યની પ્રવૃત્તિ, વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમભાવથી અથવા ક્ષાયિકભાવથી પ્રગટ થયેલા વીર્યનો વપરાશ કરવો તે ભાવક્રિયા. આ ભાવક્રિયા પણ બે પ્રકારની છે – અશુદ્ધ અને શુદ્ધ. ત્યાં પુગલદ્રવ્યનાં સુખ-દુઃખોને અનુસરનારી, પુદ્ગલની સાધનસંપત્તિ લેવા-મુકવા માટે કરાતી દારિક-વૈક્રિય આદિ શરીરસંબંધી કાયાના વ્યાપારાત્મક જે ક્રિયા તે અશુદ્ધ ભાવક્રિયા અને આત્માના ગુણોની રમણતામાં તથા આત્માના ગુણોની અંદર જ પરિણમન પામવાપણાના નિમિત્તરૂપે કરાતી વીર્યના વ્યાપારાત્મક જે ક્રિયા તે શુદ્ધ ભાવક્રિયા જાણવી. હવે સાત નયો સમજાવાય છે -
___तत्र क्रियासङ्कल्पः नैगमेन । सङ्ग्रहेण सर्वे संसारजीवाः सक्रिया उक्ताः । व्यवहारेण शरीरपर्याप्त्यनन्तरं क्रिया । ऋजुसूत्रनयेन कार्यसाधनार्थं योगप्रवृत्तिमुख्यवीर्यपरिणामरूपा (दि) क्रिया । शब्दनयेन वीर्यपरिस्पन्दात्मिका । समभिरूढनयेन गुणसाधनारूपसकलकर्त्तव्यव्यापाररूपा । एवम्भूतनयेन तत्त्वैकत्ववीर्यतीक्ष्ण