________________
ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
तासाहाय्यगुणपरिणमनरूपा । अत्र साधकस्य साधनक्रियाया अवसरः । “नाणचरणेण मुक्खो" । तेन चरणगुणप्रवृत्तिस्वरूपग्रहणपरभावत्यागरूपा क्रिया मोक्षसाधका । अतो ज्ञाततत्त्वेन तत्त्वसाधनार्थं सम्यक् क्रिया करणीया । तदुपदेशः(૧) નિગમનયઃ કોઈપણ પ્રકારની ક્રિયા કરવાનો મનમાં સંકલ્પ કરવો તે ક્રિયા કહેવાય.
જેમકે તંદુલીયા મત્યે મોટા માછલાની ક્રિયા જોઈને “હું આ સ્થાને હોઉં તો એક પણ મત્સ્યને જવા ન દઉં” આવો હિંસાત્મક ક્રિયા કર્યા વિના પણ હિંસાનો જે સંકલ્પ કર્યો તે પણ હિંસાની ક્રિયા થઈ. તેથી હિંસાનો દોષ લાગ્યો. આ નૈગમનયથી
ક્રિયા જાણવી. (૨) સંગ્રહનય : સર્વે પણ સંસારી જીવો શુભ અથવા અશુભ એમ કોઈપણ જાતની
ક્રિયાવાળા છે. કોઈપણ પ્રકારની બાધક અથવા સાધક ક્રિયાગુણવાળા છે. આ
સંગ્રહનયથી ક્રિયા જાણવી. ૩) વ્યવહારનય : શરીરપર્યાપ્તિ સમાપ્ત કર્યા બાદ જે શુભાશુભ ક્રિયા થાય છે તે
લોકભોગ્ય હોવાથી વ્યવહારનયથી ક્રિયા જાણવી. વિગ્રહગતિમાં તથા શરીરપર્યાપ્તિ પૂરી કરે તે પહેલા મન-વચન અને ઔદારિકાદિ શરીરના કાયયોગો નથી તેથી તે કાલે તૈજસ-કાર્પણ કાયયોગજન્ય ક્રિયા હોવા છતાં પણ તે લોકભોગ્ય ક્રિયા ન હોવાથી શરીરપર્યાપ્તિ પછી થતી ક્રિયા તે વ્યવહારનયથી ક્રિયા જાણવી. ઋજુ સુત્રનય : કોઈ પણ કાર્યને સિદ્ધ કરવા માટે વર્તમાનકાલે મુખ્યપણે મન-વચન અને કાયાના યોગની પ્રવૃત્તિ જેમાં પ્રવર્તે છે તેવી વીર્યની પરિણતિરૂપ (વીર્યના પરિણમન રૂ૫) જે ક્રિયા તે ક્રિયા કહેવાય છે. અહીં વર્તમાનકાલે પ્રવર્તતી ક્રિયા લીધી છે માટે ઋજુસૂત્રનય (કોઈ કોઈ પ્રતમાં “રૂપરિ” એમ મારિ પણ શબ્દ છે.) પરંતુ ક્રિયાના વિશેષણરૂપે ક્યાંક “પા” શબ્દ પણ છે. (જો આદિ શબ્દ લઈએ તો આદિ શબ્દથી આવી બીજી પ્રવૃત્તિ પણ જાણી લેવી). શબ્દનય : વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવથી પ્રગટ થયેલા વીર્યનું આત્મપ્રદેશોમાં પરિસ્પન્દન થવા રૂપ જે ક્રિયા તે ક્રિયા કહેવાય છે. (અહીં ભાવક્રિયાની પ્રધાનતા કરી છે. યોગની ગૌણતા કરી છે.) સમભિરૂઢનયઃ આત્માના શુદ્ધ ગુણોની સાધના કરવા રૂપ સકલ કર્તવ્ય કરવાપણે પ્રવર્તતું વીર્ય તે ક્રિયા કહેવાય છે.
(પ)