________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૨૯ अनादिमिथ्यादृष्टिः कुदेवादिरक्तः, स च सम्यग्दर्शनबलेन निर्धारितस्वधर्मरुचिः शुद्धदेवादीन् गृह्णाति, तथापि परत्वज्ञप्तिरेव, अप्रशस्तत्यागः प्रशस्तग्रहणम्, प्रशस्तत्यागः स्वसाधनपरिणतिग्रहणं, स्वसाधनपरिणतित्यागः स्वसत्ताधर्मग्रहणमिति મ: પરમસિદ્ધ
અનાદિકાલથી મિથ્યાત્વમોહના ઉદયની પરવશતાના કારણે મિથ્યાષ્ટિ એવો જીવ કુદેવ-કુગુરુ અને કુધર્માદિમાં રક્ત બનેલો છે પરંતુ મિથ્યાત્વમોહનો ક્ષયોપશમ કરવા વડે સમ્યગ્દર્શનની પ્રાપ્તિના બલ દ્વારા નિશ્ચિત કરી છે સ્વધર્મની રુચિ જેણે એવો તે જીવ જ્યારે થાય છે ત્યારે કુદેવ-કુગુરુ અને કુધર્મમાં શ્રદ્ધા-રક્તતા ન રહેવાથી તેના પ્રતિપક્ષભૂત એવા સુદેવ-સુગુરુ અને સુધર્મનું આલંબન ગ્રહણ કરે છે. તે કાલે તે સુદેવાદિ ગ્રહણ કરવા લાયક બને છે. તો પણ “આ પરદ્રવ્ય છે. આલંબન પૂરતાં જ તેને હું લઉં છું. અંતે તો છોડી જ દેવાનાં છે” આવા પ્રકારની પરપણાની બુદ્ધિ તો હોય જ છે. સુદેવ-સુગુરુ અને સુધર્મ એ મારું સ્વરૂપ નથી, ફક્ત તેનું આલંબન મારા સ્વધર્મની પ્રાપ્તિનું પ્રબલ કારણ છે, માટે હું તેનું ગ્રહણ કરું છું. આવી ભેદબુદ્ધિ તો રહે જ છે. આવી પરત્વ-બુદ્ધિ અવશ્ય રાખવી જ જોઈએ.
આ રીતે (૧) અશુભ આલંબનનો ત્યાગ અને શુભ આલંબનનું ગ્રહણ, આ પ્રથમ પગથીયું છે. (૨) શુભ આલંબનનો પણ ત્યાગ અને પોતાના આત્મામાં જ સાધનાની પરિણતિનું ગ્રહણ, આ બીજું પગથીયું છે. (૩) પોતાના આત્મામાં સાધનાની પરિણતિનો પણ ત્યાગ અને પોતાના આત્મામાં જ સત્તાસ્વરૂપે રહેલા રત્નત્રયી આત્મક સ્વધર્મનું ગ્રહણ, આ ત્રીજું પગથીયું છે. આમ ક્રમે ક્રમે પરમપદની (મુક્તિપદની) સિદ્ધિ થાય છે.
___तत्र नामत्यागः शब्दालापरूपः, स्थापनात्यागः दशयतिधर्मपूजनादौ स्थाप्यमानः, द्रव्यत्यागः द्रव्येण बाह्यवृत्त्या इन्द्रियसुखाभिलाषेण उपयोगभूतेन वा यस्त्यागः द्रव्यत्यागः, द्रव्यस्य द्रव्याणां वा आहारोपधिप्रमुखस्य त्यागः, द्रव्यरूपः त्यागः द्रव्यत्यागः, स च आगमतः द्रव्यत्यागस्वरूपज्ञानी अनुपयुक्तः, नोआगमतः ज्ञशरीरं त्यागस्वरूपज्ञायकस्य शरीरं, भव्यशरीरं त्यागस्वरूपज्ञायकभावी लघुशिष्यादिः, तद्व्यतिरिक्तस्तु द्रव्यत्यागः पुद्गलाशंसा-इहलोकाशंसा-परलोकाशंसारहितः स्वरूपसाधनाभिमुखी बाह्योपधिशरीरान्नपानस्वजनादित्यागः इति । भावतः अभ्यन्तररागद्वेषमिथ्यात्वाद्याश्रवविभावपरिणतित्यागः, आत्मनः क्षायोपशमिकानां ज्ञानादीनां परभावतो निवृत्तिः भावत्यागः, सम्यग्ज्ञानपूर्वकचारित्रवीर्यसंकरजन्यः आत्मपरिणामः ।