________________
૭૪
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ હું શું કરું ? આવો પ્રશ્ન હે ગૌતમ ! જો તમારા મનમાં થતો હોય તો તે વાત બરાબર વ્યાજબી નથી તે હવે સમજાવે છે -
गोयम ! वेयपयाण इमाण अत्थं च तं न याणासि । तं विन्नाणघणोच्चिय, भूयेहितो समुत्थाय ॥१५८८॥ मण्णसि मजंगेसु व, मयभावो भूयसमुदउब्भूओ । विन्नाणमेत्तमाया, भूएऽणु विणस्सइ स भूओ ॥१५८९॥ अत्थि न य पेच्चसण्णा, जं पुव्वभवेऽभिहाणममुगोत्ति । जं भणियं न भवाओ, भवंतरं जाइ जीवोत्ति ॥१५९०॥ (गौतम ! वेदपदानामेषामर्थं च त्वं न जानासि ।
यद् विज्ञानघन एव भूतेभ्यः समुत्थाय ॥) (मन्यसे मद्याङ्गेष्विव मदभावो भूतसमुदयोद्भूतः ।
વિજ્ઞાનમીત્રમાત્મા, મૂર્તિનુ વિનશ્યતિ સ મૂય: ૫) ( अस्ति न च प्रेत्यसञ्ज्ञा, यत् पूर्वभवेऽभिधानममुक इति ।
यद् भणितं न भवाद्, भवान्तरं याति जीव इति ॥)
ગાથાર્થ – હે ગૌતમ ! આ વેદપદોના અર્થોને તમે યથાર્થપણે જાણતા નથી. તમે તમારા મનમાં સ્વયં તમારી રીતે આવો અર્થ કરો છો કે - પાંચે ભૂતોના સમુદાયમાંથી જ વિજ્ઞાનનો ઘન (ચેતનાનો સમૂહ) ઉત્પન્ન થાય છે. જેમ મદિરાના અંગોમાં (અવયવોમાં) મદશક્તિ ઉત્પન્ન થાય છે તેમ ભૂતોના સમુદાયમાંથી ઉત્પન્ન થયેલો વિજ્ઞાનના ઘનાત્મક જ આ આત્મા છે. (પણ પરભવથી આવતો નથી). તથા તે જ વિજ્ઞાનઘનાત્મક આત્મા પછીથી (સમય પૂર્ણ થતાં) તે ભૂતોમાં જ વિનાશ પામી જાય છે (પણ ભવાન્તરમાં જતો નથી). તેથી પરભવ જેવી કોઈ સંજ્ઞા જ નથી કે આ જીવ પૂર્વભવમાં અમુક અમુક ચૈત્રમૈત્ર ઈત્યાદિ નામવાળો હતો આમ કહી શકાય તેથી ઉપર કહેલી વાતનો સાર એ છે કે એકભવથી બીજા ભવમાં જીવ જતો નથી. (ભવાન્તરમાં જાય છે આ વાત ખોટી છે) //૧૫૮૮-૧૫૮૯-૧૫૯ol. - વિવેચન - હે ગૌતમ ! ઉપર કહેલા વેદના પદોનો એટલે કે તમારા ચિત્તમાં રમતાં એવાં વિજ્ઞાનધન વગેરે આ શ્રુતિવાક્યોનો ભાવાર્થ યથાર્થપણે તમે જાણતા જ નથી. કેમ