________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૭૩ યથી મને ઘરે પટી = જેમ ભિન્ન એવા ઘટમાં પટનો અભાવ છે તેમ. આ અન્વય ઉદાહરણ છે.
શરીરથી બહાર જીવના ગુણોનો અનુપલંભ છે. માટે શરીરથી બહાર જીવ નથી. તેથી તૈયાયિકાદિનું માનેલું આત્માનું વિશ્વવ્યાપિપણું ઉચિત નથી. તેથી શરીર બહાર જીવનો અભાવમાત્ર જ છે. ll૧૫૮૬ll
तम्हा कत्ता भोत्ता बंधो, मोक्खो सुहं च दुक्खं च । संसरणं च बहुत्तासव्वगयत्ते सुजुत्ताई ॥१५८७॥ (તમન્ હર્તા ભોક્તા વન્યો, મોક્ષ સુર્ણ ર : ૐ
संसरणञ्च बहुत्वासर्वगतत्वयोः सुयुक्तानि ॥)
ગાથાર્થ - તેથી જીવોનું બહુત્વ (અનેકત્વ) અને અસર્વવ્યાપિત્વ માનીએ તો જ કર્તૃત્વ, ભોફ્તત્વ, બંધકત્વ, મોક્ષત્વ, સુખ-દુઃખ અને સંસરણ (જન્મ-મરણ) વગેરે ભાવો સારી રીતે યુક્તિપૂર્વક સંભવી શકે છે. અન્યથા સંભવતા નથી. ll૧૫૮૭ll
વિવેચન - હવે આ વાતનો ઉપસંહાર (પૂર્ણાહૂતિ) કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે - ઉપરની ગાથાઓમાં કરેલી ચર્ચાથી જીવોનું બહુત માનીએ અને અસર્વવ્યાધિત્વ (શરીરમાત્ર વ્યાપિત્વ) માનીએ તો જ કર્મોનું કર્તાપણું, કર્મોનું ભોક્તાપણું, કર્મોથી બંધાવાપણું, કર્મોથી મુકાવાપણું, સુખીપણું, દુઃખીપણું તથા જન્મ-મરણાદિ રૂપ સંસરણપણું ઈત્યાદિ સંસારી જીવોમાં સંભવતા તમામ ભાવો સારી રીતે યુક્તિસંગતપણે ઘટી શકે છે. અન્યથા જેમ આકાશ એક છે અને સર્વવ્યાપી છે તેથી તેને કર્મબંધાદિ થતા નથી તેમ જીવને જો એક માનીએ અને સર્વવ્યાપી માનીએ તો જીવને કર્મબંધાદિ ઘટી શકે નહીં. માટે વેદાન્તદર્શન અને નૈયાયિક-વૈશેષિક દર્શન વગેરે દર્શનકારોની વાત જૂફી છે, મિથ્યા છે, યુક્તિ વિનાની છે. ll૧૫૮૭
ઈન્દ્રભૂતિ - આપના કહેવાથી અને પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ હોવાથી તથા યુક્તિયુક્ત હોવાથી જીવ વિષેના તમામ સંશયોનો હું ત્યાગ કરવા ઈચ્છું છું. અર્થાત્ મારા હૃદયમાંથી આ તમામ સંશયો જતા રહ્યા છે. તો પણ જ્યારે જ્યારે “વિજ્ઞાનનિ તેઓ ભૂતેષ્યઃ” ઈત્યાદિ વાક્યોના અર્થનું હું ચિંતન-મનન કરું છું ત્યારે ત્યારે અતિશય તીવ્ર વિરાધના કરવાથી લાગેલું પાપ જેમ જીવનું પુંઠ ન છોડે-જીવની પાછળ પાછળ જ આવે તેમ આ સંશય પણ મારી પીઠ છોડતો નથી. સંશય ચાલુને ચાલુ જ રહે છે. તો હવે