________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
જૈન-કહે છે કે હે નૈયાયિક-વૈશેષિક ! અનંત જીવો છે એમ તમે માનો છો એટલે વેદાન્તદર્શનનું અમે કરેલું ખંડન તમને ગમ્યું છે. એટલે “સારું થયું” એમ બોલો છો. પરંતુ તમે પણ આત્માને શરીરવ્યાપી નથી માનતા પણ સર્વવ્યાપી = વ્યાપક માનો છો. અનંત આત્માઓ પૈકીનો એક એક આત્મા સર્વવ્યાપક (જગત આખામાં વ્યાપ્ત) છે એમ માનો છો. તે તમારી વાત પણ સારી નથી. તેથી હવે અમે તમોએ માનેલા એકેક જીવના જગદ્યાપિપણાનું ખંડન કરીએ છીએ તે તમે સાવધાન થઈને સાંભળો.
૭૨
જે પદાર્થના ગુણો જ્યાં દેખાય છે તે પદાર્થ ત્યાં જ હોય છે આ વાત આબાલગોપાલ જાણીતી છે. જેમકે ઘટના ગુણો વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ છે. તે ઘટમાં જ દેખાય છે. ઘટ બહાર ક્યાંય દેખાતા નથી. તેથી તે ગુણોનો ગુણી એવો ઘટ પણ ત્યાં જ હોય છે. ઘટ બહાર ઘડો હોતો નથી. તેવી જ રીતે જીવના ગુણો જ્ઞાનાદિ (ચેતના વગેરે) છે. તે ગુણો શરીરમાં જ જણાય છે, શરીર બહાર જણાતા નથી. તેથી ચેતના આદિ ગુણોનો ગુણી એવો જીવ પણ શરીરમાં જ છે, શરીર બહાર નથી. આ વાત સમજાવવા માટે ન્યાયશાસ્ત્રની નીતિ-રીતિ પ્રમાણે અનુમાન આ પ્રમાણે છે
નીવ: તનુમાત્રÆ: = જીવ શરીરવ્યાપી જ માત્ર છે. આ પ્રતિજ્ઞા.
तत्रैव तद्गुणोपलब्धेः = ત્યાં જ તેના ગુણો દેખાતા હોવાથી. આ હેતુ.
यथा घटः स्वात्ममात्रे
જે જે પદાર્થના ગુણો જ્યાં જ્યાં દેખાય છે તે તે પદાર્થ ત્યાં ત્યાં જ હોય અન્યત્ર નહીં. આ અન્વયવ્યાપ્તિ છે. તેથી ઘટની જેમ જીવ પણ પોતાના શરીરમાત્રમાં જ છે. શરીર બહાર નથી.
=
-
જેમ ઘટ પોતાનામાં જ માત્ર છે તેમ. આ ઉદાહરણ.
વળી બીજું અનુમાન આવા પ્રકારનું છે કે - જે જે પદાર્થ પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે જ્યાં જ્યાં ન દેખાતો હોય ત્યાં ત્યાં તેનો અભાવ જ હોય છે. જેમકે ઘટ અને પટ આ બન્ને વસ્તુઓ અત્યન્ત ભિન્ન છે. તેથી ઘટમાં પટનો અભાવ જ હોય છે. તથા પટમાં ઘટનો અભાવ જ હોય છે. તેવી જ રીતે શરીરની બહાર આત્મા કે આત્માના ચૈતન્યાદિ ગુણો કંઈ દેખાતું નથી તેથી આત્મા પણ શરીરની બહાર નથી જ. તેનો પણ અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે
=
शरीराद् बहिर्जीवो नास्ति
શરીરથી બહાર જીવ નથી. આ પ્રતિજ્ઞા.
પ્રમાîરનુપત્નહ્માત્ = પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે તેનો તથા તેના ગુણોનો શરીરની બહાર અનુપલંભ છે માટે. ઘટ-પટની જેમ.