SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ६८ ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ नाणा जीवा कुंभादउव्व भुवि लक्खणाइभेयाओ । સુદ-દુ-વંધ-મોઘુભાવો ય નો તાજો અશ૧૮૨ (नाना जीवा: कुम्भादय इव भुवि लक्षणादिभेदात् । સુરd-૩ઃ-વજો-મોક્ષામાવશ થતસ્તવેશત્વે ) ગાથાર્થ - આ પૃથ્વી ઉપર સર્વે જીવોનાં લક્ષણાદિ ભિન્ન ભિન્ન હોવાથી અનેક ઘટની જેમ તે જીવો ભિન્ન ભિન્ન છે. જો જીવોનું એકત્વ માનવામાં આવે તો સુખ-દુઃખકર્મબંધ અને મોક્ષનો અભાવ થાય. /૧૫૮// વિવેચન - આ સંસારમાં શરીરે શરીરે જીવ જુદા-જુદા છે. કારણ કે શરીરે શરીરે લક્ષણ આદિ ભિન્ન ભિન્ન છે. તેથી જેમ ઘડા અનેક છે તેમ જીવ પણ અનેક છે. શરીરે શરીરે કોઈની ચેતના ઘણી હોય છે. કોઈની ચેતના ઓછી હોય છે. કોઈની ચેતના અત્યન્ત હીન હોય છે. તેથી શરીરે શરીરે જીવ જુદા જુદા છે. એક શરીરમાંથી જીવ મૃત્યુ પામે ત્યારે બધાં જ શરીર નિર્જીવ થતાં નથી. એક સુખી હોય ત્યારે બીજા શરીરમાં રહેલો જીવ દુઃખી પણ હોય છે. માટે પ્રતિશરીરે જીવ જુદો જુદો હોય છે. જો સર્વે જીવોનો મળીને એક જ જીવ છે આમ માનવામાં આવે તો સુખ-દુઃખકર્મબંધ અને કર્મોથી મુક્તિ વગેરે ભાવો ઘટે નહીં. આ જ વાત ૧૫૮૪ મી ગાથામાં ગ્રંથકારશ્રી જ સમજાવવાના છે. ll૧૫૮૨ા શરીરે શરીરે લક્ષણનો ભેદ કેવી રીતે છે તે કહે છે - जेणोवओगलिंगो, जीवो भिन्नो य सो पइसरीरं । उवओगो उक्करिसावगरिसओ तेण तेऽणंता ॥१५८३॥ (येनोपयोगलिङ्गो जीवो भिन्नश्च स प्रतिशरीरम् । ૩પયા ૩ષપર્વતસ્તેન તેડનત્તા: ) ગાથાર્થ - જે કારણથી ઉપયોગ લક્ષણવાળો જીવે છે અને તે ઉપયોગ શરીરે શરીરે ભિન્ન છે. કારણ કે ક્યાંક ઉત્કર્ષ હોય છે તો ક્યાંક અપકર્ષ હોય છે. આમ ઉત્કર્ષ અને અપકર્ષના ભેદથી જીવો ભિન્ન ભિન્ન છે. /૧૫૮૩ વિવેચન - વસ્તુમાં બે પ્રકારના ધર્મો હોય છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. તે બન્ને પ્રકારના ધર્મોને જાણવાની આત્માની જે ચૈતન્યશક્તિ છે તેને જ ઉપયોગ કહેવાય
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy