________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ વિષયવાળાં બાકીનાં વચનોની જેમ. અન્વય ઉદાહરણ, યંત્ર સત્યં મવતિ તદ્ મીવનમા મવતિ, યથા સાક્ષવાનમ્ જે જે સત્યવચનો નથી હોતાં તે તે મારાં વચનો પણ નથી હોતાં. જેમકે ખોટી સાક્ષિવાળું વચન, આ વ્યતિરેક વ્યાપ્તિ તથા વ્યતિરેક ઉદાહરણ. આવા પ્રકારના અનુમાન દ્વારા હે ઈન્દ્રભૂતિ ! મારું વચન હોવાથી જીવ છે આમ તમે સત્ય તત્ત્વ સ્વીકાર કરી લો.
અહીં કોઈ કદાચ એવી શંકા કરે કે “મારું વચન હોવાથી જીવ છે આમ તું માની લે” આવા પ્રકારનું વચન પરમાત્મા કેમ બોલે છે? યુક્તિ આપવાને બદલે બળ વાપરવાની કે ફરજ પાડવાની ભગવાનને શું જરૂર ? તો તેનો ઉત્તર એમ સમજવો કે અહીં બળ વાપરવાનો કે ફરજ પાડવાનો આશય નથી. પરંતુ તમને મેં આટલી યુક્તિઓ આપી છે. તમારો સંશય તમે કહ્યા વિના મેં કહ્યો છે. તમારા હૃદયમાં રહેલા વિચારો અને તર્કો મેં સ્પષ્ટ કહ્યા છે. તેથી મારા વિષે સર્વજ્ઞપણાનો વિશ્વાસ કરીને મારું વચન તમે સ્વીકારી લો. આમ કરૂણાભાવનાથી બોલાયેલું આ અનુમાન છે. તથા આવા જ પ્રકારનું બીજું અનુમાન પણ આપે છે.
(૧) નવોર્તાિ રૂતિ વચને સત્યમ્ = જીવ છે આ વચન સંપૂર્ણ સત્ય છે, પ્રતિજ્ઞા, (૨) સર્વજ્ઞવત્રનેત્વીત્ = સર્વજ્ઞ-સર્વદર્શી મહાત્મા પુરુષનું વચન હોવાથી હેતુ, (૩) ભવનુમતસર્વવિિત = તમારા પોતાના માનેલા સર્વજ્ઞપુરુષના વચનની જેમ ઉદાહરણ. જેમ તમે જેને સર્વજ્ઞ માનો છો તેનાં બધાં જ વચનો સત્ય છે એમ સમજીને સ્વીકારી લો છો. તેમ “જીવ છે” આવું મારું વચન પણ સર્વજ્ઞપુરુષનું જ વચન છે એમ સમજીને હે ગૌતમ ! તમે સ્વીકારી લો. મને કેવલજ્ઞાન-કેવલદર્શન થયેલાં છે. તેથી હું સર્વજ્ઞ છું, માટે મારું વચન તમે માની લો.
પ્રશ્ન - પરમાત્માએ પોતે પોતાના માટે પર્વનત્વ સર્વજ્ઞવનત્વાન્ = મારું વચન હોવાથી અને સર્વજ્ઞનું વચન હોવાથી આમ કહીને હું સર્વજ્ઞ છું આવું સ્વપ્રશંસાત્મક વચન કેમ કહ્યું ?
ઉત્તર - આ સ્વપ્રશંસા માટે નથી પરંતુ પ્રયોજન ઉપસ્થિત થાય ત્યારે યથાર્થ સ્વરૂપ કહેવા માટે સ્વરૂપસૂચક વચન છે અને જ્યારે આવું કહેવાનો અવસર જ આવીને ઉભો રહે છે ત્યારે કરૂણાભાવનાથી આવા પ્રકારનાં સ્વરૂપસૂચક વચનો પણ બોલાય છે. l/૧૫૭૭ll.