SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ૫૯ આ રીતે હેતુની અનૈકાન્તિકતા (વ્યભિચારિતા) દોષ અટકાવવા માટે વ્યુત્પત્તિમત્ત્વ અને શુદ્ધત્વ આ બન્ને પદો વિશેષણ-વિશેષ્યરૂપે મુકવામાં આવ્યાં છે. પ્રશ્ન - “જીવ” પદ સાર્થક છે તેથી તે શબ્દથી વાચ્ય વસ્તુ હોવી જોઈએ આ વાત બરાબર છે. પરંતુ ‘‘વૈજ્ઞ’’ શરીર એ જ જીવપદનો અર્થ છે. દેહથી જુદો કોઈ બીજો પદાર્થ જીવ નથી. કારણ કે શાસ્ત્રોમાં “દેહમાં” જ પ્રયોગ કરાતો આ શબ્દ જોવાયો છે. = .. જેમકે “વ ઝીવઃ, નં ન હિસ્તિ'' આ (દેહ) એ જ જીવ છે. તે આ દેહને (જીવને) કોઈ હણી શકતું નથી. આવાં વાક્યોમાં વપરાતો આ જીવશબ્દ દેહ અર્થને જ સૂચવે છે. પણ દેહથી ભિન્ન પદાર્થ સ્વરૂપે જીવને સૂચવતો નથી. ઉત્તર - હે ગૌતમ ! તમારી આ વાત બરાબર નથી. કારણ કે દેહના અને જીવના પર્યાયવાચી શબ્દો ભિન્ન ભિન્ન છે માટે તે બન્ને પદાર્થો ભિન્ન ભિન્ન છે. જ્યાં જ્યાં પર્યાયવાચી શબ્દોનો ભેદ હોય છે ત્યાં ત્યાં તે તે શબ્દોથી જણાવાતી વસ્તુ પણ ભિન્ન ભિન્ન જ હોય છે. જેમકે ઘટ અને આકાશ. ત્યાં ઘટના પર્યાયવાચી શબ્દો ઘટ-કુટ-કુંભકલશ વગેરે છે જેમાંનો એક પણ શબ્દ આકાશ અર્થનો વાચક નથી. તથા આકાશના પર્યાયવાચી શબ્દો નભસ્, વ્યોમ, અન્તરિક્ષ અને આકાશાદિ છે. તેમાંનો એક પણ શબ્દ ઘટના અર્થનો વાચક નથી. એવી જ રીતે પ્રસ્તુત એવા જીવદ્રવ્યમાં જીવ-જન્તુ, અસુમાન્, પ્રાણી સત્ત્વ, ભૂત ઈત્યાદિ શબ્દો જીવના પર્યાયવાચી છે. તેમાંનો એક પણ શબ્દ દેહનો વાચક નથી, તથા શરીર, વપુ:, કાયા, દેહ, ક્લેવર, તનુ ઈત્યાદિ જે કોઈ શબ્દો છે તે દેહના વાચક છે. પણ તેમાંનો કોઈ એક શબ્દ પણ આત્માનો વાચક નથી. આ રીતે જેના જેના પર્યાયવાચી શબ્દો ભિન્ન ભિન્ન હોય છે તે તે વસ્તુ પણ ભિન્ન ભિન્ન જ હોય છે. જો પર્યાયવાચી શબ્દોનો ભેદ હોવા છતાં પણ વસ્તુનો અભેદ માનવામાં આવે તો સંસારમાં રહેલી સર્વે પણ વસ્તુનું એકત્વ જ થઈ જાય. આ મોટો બાધકદોષ આવે છે. વળી હે ગૌતમ ! તમે જે એમ કહ્યું કે “આ જીવશબ્દ દેહમાં જ વપરાતો જોયો છે” તે પણ જીવનો દેહમાં ઉપચાર કરાયો છે. પરમાર્થે દેહ એ જીવ નથી પણ આ જીવ હંમેશાં શરીરની સાથે જ રહેલો છે માટે દેહમાં જીવનો ઉપચાર માત્ર જ કરાયો છે. તથા દેહમાં જ રહેલો છે અન્યત્ર નહીં. માટે દેહમાં જીવનો ઉપચાર કરાયો છે તથા જેમ ઉપચાર કરીને દેહમાં જીવશબ્દ વપરાયેલો તમને જણાય છે તેમ ભિન્નપણે વપરાયેલો પણ તમને જોવા મળે જ છે. “ત: મ: નીવ:, વાતાર્તામાં शरीरम् " હવે આ શરીરમાંથી જીવ ચાલ્યો ગયો છે (અર્થાત્ આ મનુષ્ય મૃત્યુ પામ્યો છે.) હવે આ શરીરનો સ્મશાનમાં લઈ જઈને અગ્નિસંસ્કાર કરાઓ. આવા =
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy