________________
૫૮
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ (૩) રૂદ વદ્ વ્યુત્પત્તિમત્તે સતિ શુદ્ધપવું, તર્થવદ્ તૃણમ્ = આ સંસારમાં જે જે
વ્યુત્પત્તિવાળાં શુદ્ધપદ હોય છે તે તે અવશ્ય અર્થવાળાં જ હોય છે. તદ્વાચ્ય પદાર્થ
હોય જ છે. આ અન્વયવ્યાપ્તિ છે. (૪) કથા પદમ્ = જેમકે પદ-પદ-દ-નૃપ-ભૂપ આ બધા શબ્દો વ્યુત્પત્તિવાળા
પણ છે અને અર્થવાળા પણ છે. તેથી તે તે શબ્દોથી વાચ્ય વસ્તુઓ પણ જગતમાં
છે જ. (૫) યજુ સાર્થવં ન મતિ, તદ્ વ્યુત્પત્તિમદ્ શુદ્ધપદં ર ર મવતિ = જે જે શબ્દો
અર્થવાળા (તદ્વાચ્ય વસ્તુવાળા) હોતા નથી. તે તે શબ્દો વ્યુત્પત્તિવાળા અને શુદ્ધ
પદરૂપ પણ હોતા નથી. આ વ્યતિરેકવ્યાપ્તિ. (૬) કથા સ્થિતિ ઘરવિપાર્લિ ર, જેમકે ડિત્થ-ડવિત્થ તથા ખરવિષાણ વગેરે.
અહીં ડિત્થ-ડવિન્થ શબ્દો એકલવાયા હોવાથી શુદ્ધપદ છે. પરંતુ તેની કંઈ જ વ્યુત્પત્તિ નથી માટે વ્યુત્પત્તિ વિનાના અને જે ખરવિષાણાદિ શબ્દો છે તે વ્યુત્પત્તિવાળા છે. પરંતુ સામાસિક હોવાથી શુદ્ધ પદ નથી, તેથી તે તે શબ્દોથી વાચ્ય વસ્તુ પણ આ સંસારમાં નથી જ. “નવ" આવું જે પદ છે તે ઘટ-પટ-નૃપ-ભૂપ આદિ પદોની જેમ વ્યુત્પત્તિ વાળું પણ છે અને શુદ્ધપદ પણ છે. માટે સાર્થક જ હોવું જોઈએ, પણ ડિલ્થ-ડવિત્યની જેમ વ્યુત્પત્તિરહિત નથી અને ખરવિષાણાદિની જેમ અશુદ્ધ પદ પણ નથી. માટે જીવ નામના શબ્દથી વાચ્ય વસ્તુ સંસારમાં હોવી જ જોઈએ, પણ નથી એમ નહીં
આ ઉપનય છે. (૮) તસ્મીત્સર્વમેવ નીવપમ્ = તેથી જીવ નામનું જે પદ છે તે અવશ્ય અર્થવાળું
જ છે. માટે તદ્વાચ્ય આત્મા નામનો પદાર્થ આ સંસારમાં અવશ્ય છે જ. આ નિગમન છે.
ઉપરોક્ત ન્યાયશાસ્ત્રની નીતિ-રીતિ પ્રમાણે પણ આત્મતત્ત્વની સિદ્ધિ થાય છે. આ અનુમાનમાં હેતુ બે પદવાળો છે. વ્યુત્પત્તિમત્તે સતિ શુદ્ધપત્નીત્ તેનું કારણ એ છે કે જે જે શબ્દો વ્યુત્પત્તિવાળા ન હોય પણ શુદ્ધપદ હોય (સમાસ વિનાના એકલવાયા હોય) તો પણ તદ્વાચ્ય વસ્તુ સંસારમાં સંભવતી નથી. જેમકે ડિત્ય અને વિન્થ વગેરે, તથા જે જે શબ્દો શુદ્ધપદ હોતા નથી પણ વ્યુત્પત્તિવાળા હોય છે તે તે શબ્દો ભલે વ્યુત્પત્તિવાળા હોય તો પણ તે તે શબ્દોથી વાચ્ય વસ્તુઓ સંસારમાં નથી પણ હોતી. જેમકે ખરવિષાણાદિ,