SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ ૪ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ૫૭ વિવેચન - આત્માની સિદ્ધિ માટે હવે નવમું અનુમાન કહે છે. ન્યાયશાસ્ત્રમાં વસ્તુની સિદ્ધિ માટે પ્રતિજ્ઞા, હેતુ, અન્વયવ્યાપ્તિ, અન્વયઉદાહરણ, વ્યતિરેકવ્યાપ્તિ, વ્યતિરેક ઉદાહરણ, ઉપનય અને નિગમન જણાવેલાં હોય છે. તેનાથી સંદેહાત્મક વસ્તુનો નિર્ણય થાય છે. તે જ પદ્ધતિથી આ બે ગાથામાં જીવની સિદ્ધિ કરે છે. ૧. પર્વતો વદ્વિમાન = પર્વત અગ્નિવાળો છે, આ પ્રતિજ્ઞા. ૨. ધૂમવન્વીક્ = ધૂમવાળો હોવાથી, આ હેતુ. ૩. “યત્ર યત્ર ઘૂમતંત્ર તત્ર વડ” = જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે, આ અન્વયવ્યાપ્તિ. ૪. યથા મહાન સમ્ = જેમકે રસોડું - આ અન્વયઉદાહરણ. યત્ર વદ્વિસ્તિ , તત્ર ધૂમોપિ નાતિ = જ્યાં જ્યાં વહ્નિ નથી ત્યાં ત્યાં ધૂમ પણ નથી આ વ્યતિરેકવ્યાપ્તિ. ૬. યથા સમુદ્રઃ = જેમકે સમુદ્ર, આ વ્યતિરેક ઉદાહરણ. ૭. યથા માનસન્ દ્વિવ્યાપ્યઘૂમવત, તથાળ્યું પર્વતોપિ = જેમ રસોડું વહ્નિથી યુક્ત એવા ધૂમવાળું છે તેમ આ પર્વત પણ ધૂમવાળો છે. આ ઉપનય. ૮. તસ્મવિઠ્ય પર્વતો વદ્વિમાન = તેથી પર્વત અવશ્ય અગ્નિવાળો છે જ. આ નિગમન. ઉપર પ્રમાણે ન્યાયશાસ્ત્રમાં પર્વતની અંદર વઢિની સિદ્ધિ કરવામાં આવે છે. સર્વે પણ પરોક્ષ પદાર્થની સિદ્ધિ આ રીતે જ થાય છે. આ પદ્ધતિને અનુમાન પ્રમાણ કહેવાય છે. તે જ પદ્ધતિ પ્રમાણે જીવની સિદ્ધિ કરે છે. (૧) નીવ રૂચેતદ્ વવન સાર્થમ્ = “જીવ” આવા પ્રકારનો જે શબ્દ બોલાય છે તે અવશ્ય અર્થવાળો છે. તદ્વાચ્ય પદાર્થવાળો છે. આ પ્રતિજ્ઞા. (૨) વ્યુત્પત્તિમત્તે સતિ શુદ્ધપત્નીત્ = “જીવ” એવો જે આ શબ્દ છે તે વ્યુત્પત્તિવાળો છે અને શુદ્ધ પદ છે. ગીવતતિ નીવ: = જે જીવે છે, શ્વાસ લે છે, આયુષ્ય ધારણ કરે છે, ગમનાગમનાદિ ચેષ્ટા કરે છે તે જીવ છે. આ વ્યુત્પત્તિ કહેવાય અને સમાસ નથી. એકલો એક જ શબ્દ છે તેથી આ જીવ શબ્દ શુદ્ધ પદ કહેવાય છે. આ હેતુ જાણવો.
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy