SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ બોલાતા નથી. કારણ કે અહ્વવિષાળ પદમાં ખરવિષાણનો નિષેધ થાય છે. ખર (ગધેડા) ને જે વિષાણ (શ્રૃંગ) તે ખરવષાણ, બે પદનું બનેલું આ સામાસિક પદ છે તેથી અશુદ્ધ પદ છે. તેનો નિષેધ કર્યો છે. પરંતુ પ્રતિપક્ષ એવાં ખવિષાણ જ જગતમાં હોતાં નથી તેથી અહીં અખરવિષાણ છે. એમ નિષેધ કરાતો નથી. તેવી જ રીતે હિત્ય-વિસ્ત્ય શબ્દો વ્યુત્પત્તિ વિનાના છે. તેનો કંઈ અર્થ જ થતો નથી. તદ્વાચ્ય કોઈ વસ્તુ જ નથી. તેથી સમાસ વિનાના હોવાથી શુદ્ધપદ હોવા છતાં પણ વ્યુત્પત્તિ વિનાના છે. માટે ડિલ્થ-ડવિત્થ શબ્દોથી વાચ્ય જીવના જેવો કોઈ પણ વિપક્ષીભૂત પદાર્થ આ જગતમાં નથી. તેથી અહિત્ય અને કવિત્થ એમ નિષેધ વાચક પણ બોલાતું નથી. ૫૧ સારાંશ કે જે શબ્દ સમાસ વિનાનો એકલવાયો હોય છે તેને શુદ્ધપદ કહેવાય છે. તેમાં જે વ્યુત્પત્તિવાળા શબ્દો હોય છે તે શબ્દો વાળા પદાર્થો જગતમાં હોય જ છે. તેથી તેવા જ પદાર્થોનો અન્યત્ર નિષેધ કરાય છે. જેમ ઘટ-પટ-ચૈત્ર-મૈત્ર શબ્દો શુદ્ધપદ પણ છે અને વ્યુત્પત્તિવાળા પણ છે. તેથી તે પદાર્થોનો અન્યત્ર (જ્યાં ન હોય ત્યાં) નિષેધ કરાય છે. તેમ જીવ શબ્દ પણ શુદ્ધ અને વ્યુત્પત્તિવાળો છે. માટે જીવ નામનો પદાર્થ શરીરમાં છે. તો જ અન્યત્ર મૃતકશરીરાદિમાં તેનો નિષેધ કરાય છે, તેથી જગતમાં જીવ અવશ્ય છે. તથા આ શરીરમાં હવે આત્મા નથી, આ પ્રમાણે આત્માના નિષેધને જણાવનારો જે આ શબ્દ વપરાય છે. તે જીવના અસ્તિત્વની સાથે અવિનાભાવી જ છે. જેમકે “અહીં ઘટ નથી” આવા પ્રકારનો વાક્યપ્રયોગ તો જ કરી શકાય છે કે અન્ય સ્થાને ઘટ વિદ્યમાન છે તેથી, અર્થાત્ ઘટનું જગતમાં અસ્તિત્વ છે. તો જ જ્યાં નથી ત્યાં નાસ્તિ કહેવાય છે. જેનો જેનો નિષેધ કરાય છે તે તે પદાર્થ સંસારમાં ક્યાંક છે જ આવું દેખાય છે. જેમકે ઘટ-પટાદિ, (એક સ્થાને હોય છે તો જ બીજા સ્થાને નથી આમ બોલાય છે). હે ઈન્દ્રભૂતિ ! તમારા વડે “જીવ નથી” આવા પ્રકારના શબ્દપ્રયોગથી જીવનો નિષેધ કરાય છે. તેથી આ સંસારમાં અવશ્ય ક્યાંક જીવ છે જ. આ સંસારમાં જે સર્વથા (ક્યાંય પણ) નથી તેનો નિષેધ પણ કરાતો નથી. જેમ ખવિષાણની તુલ્ય છટ્ઠા આદિ ભૂતો. સામાન્યથી પૃથ્વી-જલ-અનલ-અનિલ અને આકાશ આ પાંચ ભૂત સર્વદર્શનકારો માને છે. તેનાથી અતિરિક્ત (ભિન્ન) છઠ્ઠું-સાતમું ભૂત કોઈ માનતું નથી એટલે આ સંસારમાં તે છે જ નહીં. તેથી અહીં પૃથ્વી નથી એમ બોલાય છે. અહીં જલ નથી એમ બોલાય છે. પરંતુ અહીં છ-સાતમું ભૂત નથી આમ ક્યારેય બોલાતું નથી તેથી જે સંસારમાં સંભવતું જ નથી તેનો નિષેધ પણ કરાતો નથી. તમારા વડે જીવ નથી આમ નિષેધ કરાય છે. તેથી કરાતો એવો આ નિષેધ જ જીવના અસ્તિત્વને સાધે છે. ૧૫૭૩॥
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy